કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના રૂપમાં વર્ષે છ હજારની રકમ જમા કરવામાં આવે છે. જે સીધી સહાય ખેડૂતોને મળે છે. આ સહાય મેળવવા માટે જેતે સમયે બેન્ક એકાઉન્ટ નંબર અને બેન્કનો આઇ.એફ. એસ.સી. કોડ મુજબ સહાય આપવામાં આવતી હતી. હાલ સમગ્ર દેશમાં દેનાબેંકનું બેન્ક ઓફ બરોડામાં વિલિનિકરણ થતા દેના બેન્કમાં જે ખેડૂતોના ખાતા હતા તેનો આઇ.એફ.એસ.સી. કોડ જૂનો હોય અને હાલ તે ખાતામાં બેન્ક ઓફ બરોડાનો આઇ.એફ.એસ.સી. કોડ આવતો હોવાથી અપડેટની કાર્યવાહીના કારણે અનેક ખેડૂતો કે જેવો પહેલા દેનાબેંકમાં ખાતું ધરાવતા હતા તેની મળવા પાત્ર કિસાન સન્માન નિધિની રકમ અટકી છે અને હજુ સુધી મળી નથી.
આ બાબતની રજુઆત અમરેલી જિલ્લાના લોકનેતા અનેસતત લોકો વચ્ચે રહી કામ કરતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઊંઘાડને ખેડૂતો દ્વારા કરવામાં આવતા તેમના દ્વવારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી બેન્ક ખાતામાં આઇ.એફ.એસ.સી. કોડ બદલવાની કાર્યવાહી કરાવવા અને વહેલી તકે કિસાન સન્માન નિધિની રકમ ખેડૂતોના ખાતામાં જમા થાય તે માટે દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામન, રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી, કૃષિમંત્રી આર.સી. ફળદુ અને અમરેલી કલેકટરને ખેડૂતોના આ પ્રશ્નનું ઝડપી નિરાકરણ લાવવા લેખિત રજુવાત કરી માંગણી કરવામાં આવી છે.
Recent Comments