આઝાદીના ૭પ વર્ષ પછી દેશની અર્થ વ્યવસ્થા સુધારવા અલગ સહકાર મંત્રાલયની રચના
પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી એ દેશને આત્મનર્ભરિ બનવા સેવલ સ્વપ્ન અને સુચનને
દેશના સહકારી ક્ષેત્રએ ઝડપથી પૂર્ણ કરવા સ્વરોજગારના નિર્માણ તરફ દોડ અને દેશના
આર્થીક વિકાસમાં સહકારની અગ્રીમ ભૂમિકાને કોઈ રોકી શકે તેમ નથી તેમ દેશની
રાજધાની દિલ્હી મુકામે યોજાયેલ દેશના સર્વપ્રથમ રાષ્ટ્રિય સહકાર સંમેલનને સંબોધતા
દેશના પ્રથમ સહકાર મંત્રી અમીતભાઈ શાહ એ જણાવેલ. શાહે વધુમા જણાવેલ કે, છેલ્લા
પાંચ જ વર્ષમાં પ્રાથમીક સહકારી મંડળીઓની સંખ્યામા ત્રણ ગણો વધારો આ ક્ષેત્ર ઉપર
લોકવિશ્વાસની પ્રતિતિ કરાવે છે. શાહે જુસ્સા સાથે જણાવેલ કે દેશની સહકારી પ્રવૃતિને
વધુ ઉચ્ચાઈપર લઈ જવા તમામ પ્રકારનો સહયોગ ભારત સરકાર આપશે,
આ તકે ઈફકો
દ્રારા તૈયાર કરવામા આવેલ વિશ્વનું સર્વપ્રથમ પ્રવાહી નેનો યુરીયાની કૃષિક્ષેત્રે ક્રાંતિકારી
પરિણામ લાવશે તેવો સ્પષ્ટમત વ્યકત કરેલ હતો. દિનદયાળ ઉપાધ્યાયજીને યાદ કરીને
શાહે જણાવેલ કે, તેઓ અંત્યોદય સહકારી પ્રવૃતિના હિમાયાતી હતા. આ તકે તેઓએ
અમુલ, ઈફકો, કૃભકો, યુએલસીસીએસ, સહિત વિવિધ સહકારી સંસ્થાઓની દેશના
આર્થિક વિકાસમાં સહયોગની તેમજ મહિલા શસકતીકરણ અને હરીયાળી ક્રાંતીની પ્રવૃતિને
બિરદાવેલ હતી અને ઈફકોએ ૩૬ હજારથી પણ વધુ સહકારી સભ્યો બનાવીને વૃધ્ધી
પામેલ તે ગૌરવની બાબત છે. સહકાર મંત્રાલય લગભગ ૩ લાખ મંડળીઓ બનાવવાની
દ્રષ્ટિ પર કામ શરૂ કરી દીધેલ છે. અને જયા સહકારી અધિનિયમમાં સુધારણાની
જરૂરીયાત રહેશે તેમાં સુધારણા સાથે સહકારી કાર્યક્ષેત્ર વધુ લોકપયોગી બનાવવા પર કામ
કરશે તેમ જણાવેલ.
શાહ એ વધુમા જણાવેલ કે, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની
અર્થવ્યવસ્થાઓ સુધારવા સહકારમા સંભાવનાઓ નિહાળતા આઝાદીના ૭પ વર્ષ પછી
અલગ સહકાર મંત્રાલય શરૂ કરી તેની સોપાયેલ જવાબદારીઓ આપણે સાથે મળીને
દેશના વિકાસમા કામે લગાડવા ઓતપ્રોત બનીજવા અને સહકારી યોજનાઓ છેવાડાના
ગામ–વ્યકિત સુધી પહોચાડવા હાકલ કરી હતી. કિસાનોની આવક વધારવા સહિત ખેત
ઉત્પાદન લક્ષાંકને નવી ઉંચાઈપર લાવવા સહકાર ગંભીરતાથી પ્રયત્નશીલ હોવાનું
જણાવેલ.
ઈન્ડોર સ્ટેડીયમ ખાતે સહકાર સંમેલનમા બોલતા એન.સી.યુ.આઈ. ના પ્રમુખ–રાષ્ટ્રિય
સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ જણાવેલ હતુ કે, દેશના આર્થિક વિકાસમાં
કો–ઓપરેટીવ સેકટર આર્શિવાદ રૂપ છે. અને તેમને અમિતભાઈ શાહ જેવા બાહોશ નેતા
મંત્રી અને માર્ગદર્શક તરીકે આપણને મળ્યા છે ત્યારે ભારતના મુખ્ય અર્થવયવસ્થા
પ્રવાહમાં સહકારી ક્ષેત્રનું જોડાણ ભાવાત્મક બની રહેશે અને દેશની વિકાસ પ્રવૃતિઓને
આગળ ધપાવવા સરકારને સહકારનો પૂર્ણ સહયોગ ”આત્મનર્ભરિ” તરફ દેશની દોટમા
મળી રહે તે દિશામા અધિક પ્રયાસ માટે ભાર મુકવામા આવેલ જેમા સૌના સહયોગને
બિરદાવી કૃષિ ઉત્પાદન, ઉત્પાદકતા, ખાદ્ય સુરક્ષા વિગેરેમા આ ક્ષેત્રના નોંધપાત્ર ફાળાને
યાદ કરીને છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનું સહકારી માળખુ સુદ્રઢ અને દેશના વિકાસમા
અગ્રેસર રહી આત્મનર્ભરિ કાર્યમા મોટી ભૂમિકા ભજવી રહેલ છે, કોરોના હોય કે, કૂદરતી
આફત સહકારી પ્રવૃતિ નવાજ અંદાજ સાથે કામ કરી રહેલ છે તેને બિરદાવી હતી.
દિલીપ સંધાણીએ જણાવેલ કે સહકાર માત્ર સહકારી પ્રવૃતિ જ કરે છે તેવુ નથી કોવિડ
જેવી વિશ્વ વ્યાપી મહામારી સામે લડવા પી.એમ. ફંડમાં નોંધપાત્ર આર્થિક સહકાર
આપવા સાથે માસ્ક, સેનેટાઈઝર અને તબીબી સારવાર સહિતની સુવિધાઓ પણ સહકાર
ના માધ્યમથી પુરી પાડવામાં આવી છે.
સહકારી ચળવળમા યુવા શકિતને જોતરવાપર ભાર મુકતા સંધાણીએ જણાવેલ કે,
એન.સી.યુ.આઈ. ટુક સમયમાં જ યુવા સમિતિની રચના કરવા તરફ આગળ વધી રહેલ
હોવાનું જણાવી કૃષિ, આવાસ,નાણા, ગરીબી નાબૂદિ સહિતની અનેક દિશાઓમા
સહકારી પ્રવૃતિની સામેલગીરી ટકાઉ અને સુરક્ષીત અને લોકપયોગી બની રહેશે તે
દિશાની કામગીરીને પણ એજન્ડામા સમાવવો જરૂરી હોવાનું જણાવેલ.
દિલ્હી ખાતે યોજાયેલ દેશનું સર્વપ્રથમ અભૂતપૂર્વ સહકાર સંમેલનમા કેન્દ્રીય કૃષિ રાજય
મંત્રી બી.એલ.વર્મા., કો.–ઓપરેટીવ સેક્રેટરી દેવેન્દ્રકુમાર સિંહ., આઈ.સી.એ.પ્રમુખ
એરિયલ ગૌરકો., ઈફકોના ચેરમેન બી.એસ.નકાઈ., એમ.ડી.ડો. યુ.એસ.અવસ્થિ,
ક્રિભકોના ચેરમેન ચંદ્રપાલસિંહ, નાફસ્કોબના પ્રમુખ જયોતિન્દ્ર મહેતા, પ્રિતિબેન પટેલ
સહિતના મહાનુભાવો અને સમગ્ર દેશભર માંથી સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં
ઉપસ્થિત રહયા હતા તેમ યાદીના અંતમા જણાવાયેલ છે.
Recent Comments