રાષ્ટ્રીય

દેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક, ઉજ્જવલ નિકમને ભાજપે ઉત્તર મધ્ય મુંબઈથીટિકીટ આપી

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની15મી યાદી જાહેર કરી છે. ભાજપ દ્વારા પૂનમ મહાજનની ટિકિટ રદ કરી અને જ્યારે આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ઉત્તર મધ્ય મુંબઈથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ઉજ્જવલ નિકમ દેશના સૌથી પ્રખ્યાત સરકારી વકીલોમાંના એક છે, તેમણે આતંકવાદી અજમલકસાબને ફાંસી, 1993 બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યા કેસ અને પ્રમોદ મહાજન હત્યા કેસ જેવા હાઈપ્રોફાઈલકેસોમાં સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

પૂનમ મહાજનની વાત કરીએ તો તે 2006માં તેના પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ ભાજપમાં જોડાઈ હતી. 2009માં, તેણીએઘાટકોપરવેસ્ટમાંથીપહેલીવારસાંસદની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગઈ હતી. 2014માં તેમણે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી કોંગ્રેસના પ્રિયા દત્તનેહરાવ્યા હતા. તમને જણાવી દઈએ કે પૂનમ એક પ્રશિક્ષિત પાયલટ છે. તેણે અમેરિકાના ટેક્સાસથી તેની ટ્રેનિંગ લીધી છે. તેની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે. 2012 માં બ્રાઇટન સ્કૂલ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટમાંથીબી.ટેકડિગ્રી પૂર્ણ કરી.

મુંબઈ ઉત્તર મધ્ય લોકસભા બેઠક પર કોઈપણ પક્ષનું વર્ચસ્વ નથી. અહીંથી ક્યારેક ભાજપ જીતી તો ક્યારેક કોંગ્રેસ જીતી. શિવસેના અને આરપીઆઈના ઉમેદવારો પણ અહીંથી જીતવામાં સફળ રહ્યા હતા. 2019ની લોકસભા ચૂંટણીમાં પૂનમ મહાજન આ બેઠક પરથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસ નેતા પ્રિયા દત્તનેહરાવ્યા હતા. જ્યારે પૂનમ મહાજનને4,86,672 વોટ મળ્યા, જ્યારે પ્રિયા દત્તને3,56,667 વોટ મળ્યા.

2014માં મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પર બીજેપીની પૂનમ મહાજને જીત મેળવી હતી, જ્યારે 2009માં કોંગ્રેસમાંથી સુનીલ દત્તની પુત્રી પ્રિયા દત્ત જીતી હતી, પ્રિયા દત્તેબીજેપીના મહેશ રામ જેઠમલાણીનેહરાવ્યા હતા. જ્યારે 2004માં આ બેઠક એકનાથગાયકવાડે, 1999માં શિવસેનાના મનોહર જોશી અને 1998માં આરપીઆઈનારામદાસઆઠવલેએ કબજે કરી હતી.

1996માં શિવસેનાના નારાયણ આઠવલે અને 1991માં કોંગ્રેસના શરદ દિઘેજીત્યા હતા. 1989માં શિવસેનાના વિદ્યાધર ગોખલેએકૉંગ્રેસના ઉમેદવારને ખૂબ જ ઓછા માર્જિનથીહરાવ્યા હતા, જ્યારે 1984માં કૉંગ્રેસના શરદ દિઘે અહીંથી જીત્યા હતા. 1980માં જનતા પાર્ટીના પ્રમિલા મધુ દંડવતેએ કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા હતા, જ્યારે 1977માં સી પી આઈ (એમ) ના અહિલ્યારાંગેકર આ બેઠક પર જીત્યા હતા.

Related Posts