રાષ્ટ્રીય

દેશમાં એક જ દિવસમાં કોવિડ ૧૯ના ૭૦૨ કેસ, સરકારે કહ્યું- ડરશો નહીં, સાવચેત રહો

દેશમાં ફરી એકવાર કોરોનાએ ગભરાટ ફેલાવવાનું શરૂ કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે દેશમાં એક દિવસમાં કોવિડ ૧૯ના ૭૦૨ કેસ નોંધાયા છે. આ આંકડા સહિત દેશભરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા વધીને ૪,૦૯૭ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, આરોગ્ય મંત્રાલયે લોકોને ખાસ કરીને સાવચેત રહેવા જણાવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે ૮ વાગ્યા સુધી જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં છ નવા દર્દીઓના મોત થયા છે.

જેમાંથી મહારાષ્ટ્રમાં બે અને કર્ણાટક, કેરળ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં એક-એક દર્દીનું મોત થયું છે. દિલ્હીમાં સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે બીમાર લોકોને ભીડમાં જવાનું ટાળવા કહ્યું છે.અગાઉ ૨૨ ડિસેમ્બરે દેશમાં કોવિડના સૌથી વધુ ૭૫૨ નવા કેસ નોંધાયા હતા. જાે કે ૫ ડિસેમ્બર સુધીમાં, કોવિડના દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો, પરંતુ વધતી જતી ઠંડીને કારણે, નવા પ્રકાર સાથે ચેપના કેસોમાં ફરી વધારો થયો છે.કોવિડના નવા ગભરાટ વચ્ચે, દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે તેમણે પોઝિટિવ કેસ વિશે માહિતી મેળવવા માટે જીનોમ સિક્વન્સિંગનો આદેશ આપ્યો છે જેથી કરીને ત્નદ્ગ.૧ કેસની પુષ્ટિ થઈ શકે.

દિલ્હી સરકારે કહ્યું છે કે રાજધાનીમાં કોવિડ ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. બુધવારે ૬૩૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. બુધવારે જ દિલ્હીમાં ત્નદ્ગ.૧ ના પ્રથમ કેસની પુષ્ટિ થઈ હતી.સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે ગઈકાલે ત્રણ કેસની પુષ્ટિ થઈ હતી, જેમાંથી બે જૂના ઓમિક્રોન વેરિઅન્ટના હતા જ્યારે એક નવા જેએન૧ વેરિઅન્ટનો હતો. સારી વાત એ છે કે નવા વેરિઅન્ટથી પીડિત દર્દી, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, તેને રજા આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ૫૨ વર્ષની એક મહિલા જેએન૧ વેરિઅન્ટથી પીડિત હતી.સૌરભ ભારદ્વાજે કહ્યું કે આ વેરિઅન્ટને લઈને બહુ ચિંતા કરવાની જરૂર નથી. હાલમાં ચાર દર્દીઓ હોસ્પિટલમાં છે. જાે કે, તેમણે લોકોને કહ્યું કે જેઓ લાંબા સમયથી અસ્વસ્થ છે તેઓએ ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું જાેઈએ. સૌરભ ભારદ્વાજે બસ સ્ટોપ અને અન્ય સાર્વજનિક સ્થળો પર જાગૃતિ અભિયાન ચલાવવા માટે સૂચનાઓ જારી કરી છે.

Related Posts