રાષ્ટ્રીય

દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં થઈ શકે છે વધારો : ICMR

ધૂમ્રપાન, તમાકુ અને આલ્કોહોલનું સેવન ઉપરાંત કેન્સર થવાના સૌથી મહત્વના કારણોમાં મેદસ્વિતા,શરીરમાં પોષક તત્વોનો અભાવ અને અભાવ અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો છે. કે ૨૦૨૫ સુધીમાં કેન્સરના કેસમાં ૧૨.૭ ટકાનો વધારો થઈ શકે છે. કોઈપણ રીતે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. કેન્સરના વધતા આંકડા જાેયા બાદ જ નિષ્ણાતોએ આ દાવો કર્યો છે. ખતરનાક પરિસ્થિતિ તરફ ભારત વધી રહ્યું છે આગળ. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અનુસરા ૨૦૨૦માં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૦૨૦માં કેન્સરના અંદાજિત કેસ ૧૩.૯૨ લાખ હતા.

જે ૨૦૨૧માં વધીને ૧૪.૨૬ લાખ થઈ ગયા . જ્યારે ૨૦૨૨માં તે વધીને ૧૪.૬૧ લાખ થઈ ગયો. જાણો શું છે કેન્સર ફેલાવવાનું મુખ્ય કારણ?.. નિષ્ણાતોના મત અનુસાર ભારતમાં હૃદય રોગ અને શ્વસન સંબંધી રોગો સિવાય કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યાં છે. કેન્સરના વધતા વ્યાપના ઘણા કારણો છે. જેમાં વધતી ઉંમર જીવનશૈલીમાં ફેરફાર, કસરત અને પોષક આહારનો અભાવ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે, ઘણી વખત લોકોને કેન્સરના લક્ષણો વિશે સંપૂર્ણ જાણકારી ન હોવા છતાં પણ ખબર નથી પડતી. જેના કારણે સારવારમાં વિલંબ થાય છે.

જાે વહેલી તકે સારવાર ન મળે તો કેન્સર વધે છે અને વ્યક્તિ મૃત્યુ પામે છે. એટલા માટે લોકોમાં કેન્સર વિશે જાગૃતિ ફેલાવવી પણ ખૂબ જ જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓ પર નજર કરીએ તો આપણા દેશમાં સૌથી વધુ મોં અને ફેફસાના કેન્સર પુરુષોમાં જાેવા મળે છે. તે જ સમયે સ્ત્રીઓમાં કેન્સરના મોટાભાગના કેસ સ્તન અને ગર્ભાશયમાંથી આવે છે. બેંગ્લોર સ્થિત ૈંઝ્રસ્ઇ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (દ્ગઝ્રડ્ઢૈંઇ) અનુસાર, ૨૦૧૫ થી ૨૦૨૨ સુધીમાં તમામ પ્રકારના કેન્સરના આંકડાઓમાં લગભગ ૨૪.૭ ટકાનો વધારો થયો છે.

૧૪ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને લિમ્ફોઇડ લ્યુકેમિયા, રક્ત સંબંધિત કેન્સર થવાનું જાેખમ વધારે છે. ડો. સુહાસ અગ્રે કન્સલ્ટન્ટ મેડિકલ ઓન્કોલોજિસ્ટ અને હેમેટોનકોલોજિસ્ટના જણાવ્યા અનુસરા વૃદ્ધત્વ, પારિવારિક ઇતિહાસ, આનુવંશિકતા, સ્થૂળતા, તમાકુનો ઉપયોગ મધપાન, માનવ પેપિલોમાવાયરસ(ૐફઁ) જેવા વાયરલ ચેપ, પર્યાવરણમાં રસાયણો પદૂષણ, હાનિકારણ યુવી કિરણોના સંપર્કમાં સૂર્યનો સંપર્ક, નબળો આહાર , શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને અમુક હોર્મોન્સ અને બેક્ટેરિયા આ ભયંકર રોગના ફેલાવાના કારણોમાંના છે. આ રોગથી બચવા માટે જરૂરી છે કે કેન્સરના લક્ષણો દેખાય કે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવામાં આવે.

Related Posts