રાષ્ટ્રીય

દેશમાં નવી પાંચ વંદે ભારત ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી આપશે

દેશમાં સેમી હાઈ સ્પીડ વંદે ભારત ટ્રેનોની સંખ્યા સતત વધી રહી છે. ટૂંક સમયમાં જ દેશને વધુ ૫ વંદે ભારત ટ્રેનની ભેટ મળી શકે છે. સરકાર આ અઠવાડિયે વધુ ૫ વંદે ભારત ટ્રેનો શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે ભારતમાં વંદે ભારત સેમી-હાઈ ટ્રેનોની સંખ્યા વધીને ૨૩ થઈ જશે. તેનાથી વિવિધ રાજ્યોના લોકોને ફાયદો થશે. પીએમ મોદી મંગળવારે ૫ નવી ટ્રેનોને લીલી ઝંડી આપશે. જણાવી દઈએ કે, આ અઠવાડિયે જે ૫ ટ્રેનો શરૂ થવા જઈ રહી છે, તેમાંથી એક ટ્રેન બિહારને મળવા જઈ રહી છે. આ ટ્રેનોને આજે જ રેકમાંથી બહાર કાઢીને રાંચી લઈ જવામાં આવશે. આવતીકાલે સવારે ૧૦.૩૦ વાગ્યે પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ઈન્દોર-ભોપાલ વંદે ભારત આ અઠવાડિયે ભોપાલને વંદે ભારતની ભેટ મળશે. જેને મંગળવારે સવારે ૧૦.૩૦ કલાકે વડાપ્રધાન મોદી ફ્લેગ ઓફ કરશે. આ ટ્રેન દરરોજ સવારે ૬.૩૦ વાગ્યે ઈન્દોરથી ઉપડશે અને ૯.૩૫ વાગ્યે ભોપાલ પહોંચશે. ઇન્દોરથી ભોપાલ સુધીની સફર સેમી હાઇ સ્પીડ ટ્રેન દ્વારા ૪ કલાકમાં પૂર્ણ થશે. આ ટ્રેન અઠવાડિયામાં ૬ દિવસ ચાલશે. રવિવારે ટ્રેન નહીં દોડે, આ દિવસે ટ્રેનનું મેન્ટેનન્સ કામ કરવામાં આવશે. ટ્રેન શરૂ થવાથી ભોપાલના લોકો સરળતાથી ઉજ્જૈન મહાકાલના દર્શન કરી શકશે. જબલપુરના લોકોને આ અઠવાડિયે વંદે ભારત ટ્રેન પણ મળી શકે છે. આ ટ્રેન સવારે ૬ વાગે જબલપુરથી ઉપડશે અને નરસિંગપુર, પીપરિયા, નર્મદાપુરમ થઈને રાણી કમલાપતિ રેલ્વે સ્ટેશન પર સવારે ૧૦.૩૫ કલાકે પહોંચશે. આ જ ટ્રેન અહીંથી સાંજે ૭ વાગ્યે ઉપડશે અને ૧૧.૩૫ વાગ્યે જબલપુર પહોંચશે. આ ઉપરાંત બિહારને આવતીકાલે પ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેનની ભેટ પણ મળશે. પટના-રાંચી વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં બિહારમાં દોડતી જાેવા મળશે. તે જ સમયે, બેંગ્લોર-ધારવાડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન અને ઝ્રજીસ્‌-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ પણ આવતીકાલે શરૂ કરવામાં આવશે.

Related Posts