કોવિડ-૧૯ને કારણે સર્જાયેલી સમસ્યાઓ, કોરોના પછીની સમસ્યાઓ માટે આયુષ આધારિત ઉપાય માટે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા સમાજને મદદરૂપ વિશેષ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આયુષ હેલ્પલાઈન માટે ટોલ ફ્રી નંબર ૧૪૪૪૩ છે જે સપ્તાહના સાતેય દિવસ સવારે ૬.૦૦થી રાત્રે ૧૨.૦૦ કલાક સુધી કાર્યરત રહેશે. એમ આયુષ નિયામકની યાદીમાં જણાવાયુ છે.
યાદીમાં વધુમા જણાવ્યા અનુસાર આ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૪૪૪૩ દ્વારા આયુષના તમામ અલગ અલગ વિષય નિષ્ણાંતો નાગરિકોના સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટે ઉપલબ્ધ રહેશે. જેમાં નાગરિકો હેલ્પલાઈન થકી આયુર્વેદ, હોમિયોપેથી, યોગ, નૈસર્ગિક ઉપચાર (નેચરોપેથી), યુનાની અને સિદ્ધા માટે માર્ગદર્શન મેળવી શકશે. જેમાં નિષ્ણાંતો દ્વારા નાગરિકો તેમજ દર્દીઓને માત્ર ઉપાય કે અનુકૂળ ઇલાજની સાથે સાથે તેમની નજીકમાં ઉપલબ્ધ આયુષ કેન્દ્રોની માહિતી પણ પૂરી પાડશે.
આ સાથે ગુજરાત સરકારના આયુષ વિભાગ દ્વારા કોરોનાની શરુઆત (એપ્રિલ ૨૦૨૦થી) થી જ નાગરિકોને નજીકના આયુષ સારવાર કેન્દ્રોની માહિતી રંંॅજઃ//ટ્ઠએજર.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પર ઉપલબ્ધ કરાવેલ છે જેમાં જે તે આયુષ ડૉ.ના વ્યક્તિગત મોબાઈલ નંબરની માહિતી પણ ઉપલબ્ધ કરાવેલ છે અને જેનો ગુજરાતના નાગરિકો લાભ લઈ રહ્યા છે. આ આયુષ હેલ્પલાઇન થકી આયુષ નિષ્ણાંતો દર્દીઓને કોવિડ-૧૯ પછીના ઉપાય માટેના સૂચનો અંગે પણ માહિતી આપશે.
દેશવ્યાપી “આયુષ કોવિડ-૧૯ કાઉન્સેલિંગ હેલ્પલાઇન” કાર્યરત

Recent Comments