રાષ્ટ્રીય

‘દોરવણી અને ઉશ્કેરણીમાં ન આવો’ ૨૦૨૪ની ચૂંટણીને લઈને RSS ચીફ મોહન ભાગવતે નિવેદન

દશેરા નિમીતે નાગપુરમાં આયોજિત વિજયાદશમીનો ઉત્સવ આયોજીત થયો હતો. ઉત્સવમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવ હાજર રહ્યા હતા,કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન ભાગવતે નિવેદન આપ્યું કે ૨૦૨૪ની ચૂંટણી દરમિયાન કોઈને ગેરમાર્ગે દોરશો નહીં અને ઉશ્કેરશો નહીં. દરેકને અનુભવ્યા પછી જ ‘બેસ્ટ’ને જ મત આપો.‘. રેશમબાગ મેદાનમાં ઇજીજી ચીફ મોહન ભાગવતે કહ્યું કે કેટલાક લોકો નથી ઈચ્છતા કે ભારતમાં શાંતિ રહે. તેઓ કટ્ટરતાથી દેશમાં હિંસા ફેલાવાનું કામ કરે છે, જેના કારણે આજે વિશ્વમાં યુદ્ધો થઈ રહ્યા છે. ભાગવતે વધુમાં કહ્યું કે આજે વિશ્વમાં ભારત અને ભારતીયોનું ગૌરવ વધી રહ્યું છે. ભારત દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. દિલ્હીમાં આયોજિત જી-૨૦નો ઉલ્લેખ કરતા ભાગવતે કહ્યું કે વિદેશથી આવનારા મહેમાનોની આતિથ્ય સત્કાર માટે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રશંસા થઈ છે.

Related Posts