પાલિતાણા સિહોરના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ સણોસરા પંથકના ગામોમાં પાણી આપવા સરકારમાં રજૂઆત કરી છે.
રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને પાલિતાણા સિહોરના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાએ સણોસરા પંથકના ગામોમાં ભાવનગર બોરતળાવમાં વહન થતાં સૂચિત પાણી પુરવઠા અંતર્ગત પાણી આપવા જણાવ્યું છે. આ વિસ્તારના ભૂતિયા, ઈશ્વરિયા તથા ગઢુલા તલાવડાઓમાં પાણી છોડવા સરકારમાં સિંચાઈ મંત્રી શ્રીને જણાવ્યું છે. ગરમીના દિવસો શરૂ થતાં જ ધારાસભ્ય શ્રી દ્વારા સમયસર રજૂઆત થતાં ગ્રામજનોમાં રાહત જન્મી છે.
Recent Comments