અમરેલી

ધારીના ફતેગઢ નજીક શ્રમિક ઉપર દીપડાએ કર્યો હુમલો

ધારીના ફતેગઢ ગામે બાબભાઈ મનુભાઈ કોઠીયાની વાડીમાં રહી ખેતમજુરી કરતા પોપટભાઈ ચારોલા રાત્ર વાડીએ સુતા હતા. ત્‍યારે 3 વાગ્‍યાના સમયે દિપડાએ હુમલો કર્યો હતો. જેથી તેમને માથા અને હથેળી પરસામાન્‍ય ઈજાઓ થતા તાત્‍કાલિક અસરથી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. અને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્‍યા હતા. દિપડાએ હુમલો કરતા વન વિભાગનો સ્‍ટાફ દોડી ગયો હતો. અને ઘટના સ્‍થળે પાજરા ગોઠવી દિપડાને પડકી પાડવા કવાયત હાથ ધરી હતી.

Related Posts