ધારીમાં હરિકૃષ્ણનગર શાંતિલાલ પરમારની આગેવાની હેઠળ નવ નિયુકત સરપંચ અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો હતો. નવ નિયુક્ત સરપંચ જયશ્રીબેન ભુપતભાઈ વાળા અને સભ્યો ઇલુભાઈ, જયરાજભાઈ તેમજ તાલુકા પંચાયતના સદસ્ય જયદીપભાઈ બસિયાનું આ વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ચુંટણીમાં શાંતિલાલ પરમારે, ભુપતભાઈ વાળાને જીતાડવા તનતોડ મહેનત કારેલ હતી. ત્યારે સરપંચના પતિ ભુપતભાઈ વાળાએ જણાવેલ હતું કે મારા પર ધારીના લોકોએ જે વિશ્વાસ મૂકી મને જીત અપાવી છે ત્યારે હું સરપંચ નહિ પણ ધારીના લોકો સરપંચ બન્યા છે. આ ઋણ ક્યારે હું પૂરું કરીશ કે લોકોની સાથે રહીસ અને વિકાસના કામ કરીશ. સન્માન સમારોહમા ધારી તાલુકા ઉપપ્રમુખ રમેશભાઈ વાઘેલા, મૃગેશભાઈ કોટડીયા, મિતભાઈ બોરડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.
ધારીમાં નવ નિયુકત સરપંચ અને સભ્યોનો સન્માન સમારોહ યોજાયો

Recent Comments