વડીયા તાલુકામાં ધારી–ખાંભા–રાજકોટ રૂટની સવારે પ : ૩૦ અને બપોરે ૩ : ૩૦ વાગ્યાની બસ છે૬ત્સિલા ૧ માસથી બંધ થયેલ છે, જેનાથી અમરનગર,દેવડા, દેવળકી, બાંટવા દેવળી, વડીયા, રામપુર, તોરી, ખાન ખીજડીયા, મોરવાડા, પીઠડીયા, બાલાપુર અને માવજીંજવા ગામના ગ્રામજનોને, વિદ્યાર્થીઓ, ખેડુતોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આથી ત્વરીત ધારી–ખાંભા–રાજકોટ રૂટની સવારે પ : ૩૦ અને બપોરે ૩ : ૩૦ વાગ્યાની બસ શરૂ કરવા માં અમરેલી જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન સત્યમભાઈ મકાણીએ અમરેલીના ધારાસભ્યશ્રીને રજુઆત કરતા ધારાસભ્યશ્રીએ એસ.ટી. વિભાગને ધારદાર રજુઆત કરીને
ધારી–ખાંભા–રાજકોટ રૂટની બસ શરૂ કરાવતા અમરનગર,દેવડા, દેવળકી, બાંટવા દેવળી, વડીયા, રામપુર, તોરી, ખાન ખીજડીયા, મોરવાડા, પીઠડીયા, બાલાપુર અને માવજીંજવા ગામના ગ્રામજનોએ અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણી તથા અમરેલી જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન સત્યમભાઈ મકાણીનો ખુબ ખુબ આભાર માન્યો.
ધારી – ખાંભા –રાજકોટ રૂટની બસ શરૂ કરાવતા : પરેશ ધાનાણી

Recent Comments