ખેતજણસ ખરીદીનો પ્રારંભ કૌશિક વેકરીયા, જે.વી.કાકડીયા, અશ્વિન સાવલીયા, મનસુખ ભુવા, શૈલેન્દ્રસિંહ, સંસ્થા પ્રમખ ભાવના ગોંડલીયા સહિત વિશાળ સંખ્યામા લોકો ઉપસ્થિત રહયા.
ખેતિમાંથી ખેડૂત સારૂ ઉત્પાદન મેળવે અને તેના તંદુરસ્ત ભાવ મેળવે તેવા નિર્ધાર સાથે કામ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સહકારના માધ્યમથી છેવાડાના માનવી સુધી લાભાન્વિત કરવાના સ્વપ્નને સહકાર મંત્રી અમીતભાઈ શાહના નિરંતર પ્રયાસોએ સકારાત્મક પરિણામો આપ્યા છે તેવા સમયે શિવરાત્રીના પાવનકારી પ્રસંગે ખેતજણસ ચણાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસીંગ સહકારી મંડળીના માધ્યમથી ધારી ખાતેથી કરવામા આવ્યો.
આ તકે કેન્દ્રીય મંત્રી પરશોતમભાઈ રૂપાલા એ જણાવેલ કે, મહેનતકશ ખેડૂતને ખમતીધર બનાવવા અને ખેતજણસનું સુચારૂ વળતર તે પામી શકે તે દિશાના પ્રયાસને પ્રધાનમંત્રીએ અગ્રતા આપી છે અને તેના પરિણામો કૃષિક્ષેત્રે મેળીરહયા છે. ગ્રામ્ય વિકાસના મૂળમા બે બાબતો અગ્રેસર છે તેમા એક જૈવિક ખેતિ અને બીજુ પશુપાલન, આ દિશામા સક્રિય પ્રયાસો દેશને ફરી હરિયાળી બનાવશે તેવો વિશ્વાસ આપેલ હતો.
રાષ્ટ્રિય સહકારી અગ્રણી–ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવેલ કે, ખેડૂતની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના સ્વપ્નને અમીતભાઈ શાહ સહકારના માધ્યમથી આગળ ધપાવી રહેલ છે. જમીનની ગુણવતા–છોડને પોષણ, સરળ ખેતિ અને સારી આવક ખેડૂત મેળવી શકે તે માટે કામ કરતી સરકાર–સહકાર યોજનાઓ વર્ણવી હતી.
આ તકે અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી.કાકડીયા, અમરેલી જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, અમરેલી જીલ્લા સહકારી ખરીદ-વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, નલીનભાઈ કોટડીયા, હિરેનભાઈ હિરપરા, ખોડાભાઈ ભુવા, અતુલભાઈ કાનાણી, જયશ્રીબેન કાનાણી, અશ્વિનભાઈ કુંજડીયા, એન.સી.ડી.સી.ના રીજીયોનલ ડાયરેકટર શૈલેન્દ્રસિંહ, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર(સી.ઈ.ઓ) બી.એસ.કોઠીયા, જીલ્લા રજીસ્ટ્રાર સહિત વિશાળ સંખ્યામાં કૃષિકારો ઉપસ્થિત રહયા હતા સમગ્ર કાર્યક્રમનું આયોજન–યજમાન ધારી ખે.કૃષિ ઉ.અને પ્રો.સહકારી સંસ્થાના પ્રમુખ-માર્ગદર્શન ભાવનાબહેન ગોંડલીયા તરફથી કરવામા આવતા આ ક્ષેત્રે મહિલાના વિશિષ્ટ યોગદાનને પણ બિરદાવવામા આવેલ
ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસીંગ સહકારી મંડળી ના માધ્યમથી શિવરાત્રીના પાવનપર્વે ટેકાનાભાવે

Recent Comments