અમરેલી

ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ના રીપીટર વિદ્યાર્થીઓને કોરોના કાળમાં માસ પ્રોગ્રેશન આપવાની માંગ કર્તા વિપક્ષ નેતા ધાનાણી

કોરોનાની વૈશ્વિક મહામારીમાં સૌથી વધુ કોઈ ક્ષેત્રને અસર થઈ હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે . કોરોનાના કારણે માર્ચ -૨૦૨૦ થી શાળા – કોલેજો સંપૂર્ણ બંધ છે અને ક્યારે ખુલશે તે અંગે હજુ કહી શકાય તેમ નથી . કોરોનાના વધતા જતા સંક્રમણ અને કોરીનાની બીજી લહેરને ધ્યાનમાં લઈ સીબીએસઈ ( casE ) સહિતના નેશનલ બોર્ડ દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન કમ મસ પ્રોગ્રેશનનો નિર્ણય કરવામાં આવ્યો છે . ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી અને કોરોનાના વધતા જતા કેસ તથા મૃત્યુ આંકને ધ્યાને લઈ સીબીએસઈના ધોરણ -૧૦ અને ૧૨ ની પરીક્ષા રદ કરવા અંગેના નિર્ણય બાદ ગુજરાત સરકારે પણ ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની પરીક્ષા રદ કરીને મારા પ્રમોશન કમ માસ પ્રોગેશનની જાહેરાત કરી છે અને બીજી તરફ ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ના રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા માટે સમયપત્રક જાહેર કરી ચુકી છે . તેથી ગુજરાતમાં ધોરણ -૧૦ ના ૩.૮૦ લાખ અને ધોરણ -૧૨ ના ૧.૧૦ લાખ મળીને કુલ ૪.૯૦ લાખ જેટલા રીપીટર વિદ્યાર્થીઓના માતા – પિતા અને વાલીઓમાં વ્યાપક ચિંતા ઉભી થઈ છે . રાજય સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓના સ્વાસ્યની ચિંતા કરે છે તેવી જાહેરાતો કરી વાહવાહી લઈ રહી છે , તો રીપીટર વિદ્યાર્થીઓના સ્વાસ્યની ચિંતા કોણ કરશે ? શું કોરોના વાયરસ રીપીટર વિદ્યાર્થીઓને અસરકર્તા નથી ? શું રેગ્યુલર વિદ્યાર્થીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી ગણવામાં આવે છે ? શું રીપીટર્સ વિદ્યાર્થીઓ રીઢા ગુનેગાર છે ? શું રીપીટર વિદ્યાર્થીઓ ગુજરાતના બાળકો નથી ? શું રાજ્ય સરકારની જવાબદારી બનતી નથી કે દરેક બાળકને સમાન ધોરણે કોરોના સંક્રમણથી બચાવે ? રાજ્ય સરકાર દ્વારા ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ના રીપીટર વિદ્યાર્થીઓની લેવાનાર પરીક્ષા અંગે વિદ્યાર્થીઓના માતા – પિતા અને વાલીઓ ખૂબ ચિંતીત છે ત્યારે આ વિદ્યાર્થીઓના હિતમાં સરકારશ્રી કક્ષાએથી સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી , યોગ્ય નિર્ણય કરી , કોરોના કાળમાં અન્ય વિદ્યાર્થીઓની જેમ તેઓને પણ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી કરાવવા મારી વિનંતી સહ ભલામણ છે

Related Posts