વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મનીષ નરવાલ અને સિંહરાજને તેમના આ શાનદાર પ્રદર્શન પર શુભકામનાઓ આપતા કહ્યુ કે ટોક્યો પેરાલમ્પિક દેશને સતત ગૌરવના પળ અપાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરવાલ અને અડાનાને ફોન કરીને શુભકામનાઓ આપી. બંને ખેલાડીઓએ વડા પ્રધાનના પેરા-એથલીટોને સતત પ્રોત્સાહિત કરવા માટે તેમના વખાણ કર્યા અને સમર્થન કરવા માટે આભાર વ્યક્ત કર્યો. પીએમ મોદીએ ટ્વીટ પણ કરી અને લખ્યુ, ટોક્યો પેરાલમ્પિકથી ગૌરવશાળી ક્ષણ સતત આવી રહી છે. આ યુવા અને પ્રતિભાશાળી મનીષ નરવાલની મહાન ઉપલબ્ધિ છે.
તેમનો ગોલ્ડ મેડલ જીતવુ ભારતીય રમત માટે એક ખાસ ક્ષણ છે. તેમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. ” પીએમ મોદીએ કહ્યુ, સિંઘરાજ અડાનાએ બીજીવાર કરી બતાવ્યુ. તેમણે વધુ એક મેડલ જીત્યો, આ વખતે મિશ્રિત ૫૦ મીટર પિસ્તલ એસએચ૧ સ્પર્ધામાં. તેમના આ કારનામાથી ભારત ખુશ છે. ભવિષ્ય માટે તેમને શુભેચ્છાઓ. નિશાનેબાજ મનીષ નરવાલે વર્તમાન પેરાલમ્પિક રમતમાં ભારતને આ ત્રીજાે ગોલ્ડ મેડલ અપાવ્યો છે જ્યારે સિંહરાજ અડાનાના નવા ટોક્યોમાં બીજાે મેડલ છે. અગાઉ તેમણે પી૪ મિશ્રિત ૫૦ મીટર પિસ્તલ એસએચ ૧ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. ટોક્યો પેરાલમ્પિકમાં ભારતના મનીષ નરવાલે ઁ૪ મિક્સ્ડ ૫૦ મીટર એર પિસ્તલ જીૐ-૧ ઈવેન્ટમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ઈવેન્ટમાં ભારતના સિંહરાજ અધાનાએ બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.
Recent Comments