ગુજરાત

નર્મદાના પાણીની પાઈપમાં આગ લાગવાની ઘટના બે દિવસમાં બીજી ઘટનાહિંમતનગરના નાની બેબાર નજીક રાખેલી પાણીની વિશાળ પાઈપોમાં આગ લાગવાની ઘટના

નર્મદા નદીના પાણીની પાઈપમાં આગ લાગવાની બે દિવસમાં બીજી ઘટના સામે આવી છે હતી જેમાં માલપુર નજીક એક ઘટના રવિવારે નોંધાયા બાદ હવે હિંમતનગરના નાની બેબાર નજીક રાખેલી પાણીની વિશાળ પાઈપોમાં ભીષણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. પાણીની લોખંડની વિશાળ પાઈપોમાં આગ લાગવાની ઘટનાએ અનેક સવાલો પણ સર્જી દીધા છે. સુકા લાકડામાં આગ લાગી હોય એમ જ લોખંડની પાઈપો ભડકે બળવા લાગેલી જોઈને સ્થાનિકોમાં પં સવાલો ઊભા થયા હતા.

આ લોખંડની પાઈપોમાં વળી આગ કેમ અને કેવી રીતે લાગે એ સવાલ થઈ રહ્યા છે. પહેલા માલપુર અને હવે હિંમતનગરમાં આગની ઘટનાએ સવાલ સજ્ર્યા છે. મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરીના આક્ષેપો વચ્ચે પાણીની પાઈપ લાઈન નાંખવાના માટે મૂકવામાં આવેલી પાઈપોમાં આગ લાગી છે. જો કે આ ઘટનાને પગલે સ્થાનિકોએ આગને બુઝાવવા પ્રયાસ કર્યા બાદ હિંમતનગરની ફાયર ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને પાઈપોમાં લાગેલી આગને બુઝાવી હતી અને આ ઘટનામાં કોઈ જાનહાનિ પણ થઈ નથી.

Related Posts