રાષ્ટ્રીય

નવરાત્રિમાં કેમ ના ખાવું જોઇએ ડુંગળી-લસણ, જાણો આ પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ

નવરાત્રિ હિન્દુ ધર્મ માટે ખૂબ પવિત્ર તહેવાર છે. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસોમાં દેવી દૂર્ગા ધરતી પર ભ્રમણ કરે છે. આ દરમિયાન ભક્તો માતાને પ્રસન્ન કરવા માટે 9 દિવસ અથવા તો 2 દિવસના ઉપવાસ કરતા હોય છે. વ્રત દરમિયાન માત્ર ફળહાર અને સાત્વિક ભોજન જ અનેક લોકો કરતા હોય છે. આમ, નોરતામાં લસણ અને ડુંગળી ખાવાની મનાઇ હોય છે. પણ શું તમે જાણો છો નવરાત્રિમાં લસણ અને ડુંગળી કેમ ના ખાવી જોઇએ.

જાણો વૈજ્ઞાનિક અનુસાર કેમ ફાયદાકારક છે સાત્વિક ભોજન

હિન્દુ અને પ્રાચીન આર્યુવેદિક અનુસાર ખાવાને ત્રણ શ્રેણીઓમાં વિભાજીત કરવામાં આવે છે. રાજસિક ભોજન, તામસિક ભોજન અને સાત્વિક ભોજન. આમ, નવરાત્રિ દરમિયાન સાત્વિક ભોજન કરવામાં આવે છે. જેની પાછળ માત્ર ધાર્મિક જ નહિં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. ચૈત્રી નવરાત્રિમાં ગરમી વધુ પ્રમાણમાં પડે છે જેના કારણે પેટની તકલીફો, ડિહાઇડ્રેશન જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એવામાં શરીરને ડિટોક્સ કરવા માટે સાત્વિક ભોજન કરવું ખૂબ જરૂરી છે.

નવરાત્રિમાં આ કારણે ના ખાવું જોઇએ લસણ અને ડુંગળી

ડુંગળી અને લસણને પ્રાકૃતિક રીતે તામસિક ભોજનની શ્રેણીમાં મુકવામાં આવે છે. લસણ અને ડુંગળી શરીરમાં ગરમી પેદા કરે છે આ કારણે વ્રત દરમિયાન આનું સેવન કરવું જોઇએ નહિં. વૈષ્ણવ પરંપરા અનુસાર વ્રત દરમિયાન જમીનની અંદર ઉગતી કોઇ પણ વસ્તુ ખાવી જોઇએ નહિં. આ માટે લસણ અને ડુંગળી પણ ખાવા જોઇએ નહિં. આ માટે ઘણાં લોકો નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન હળદર, હિંદ, રાઇ, મેથી અને ગરમ મસાલા ખાવાનું ટાળતા હોય છે. તમે તમારા જમવાના ટેસ્ટમાં વધારો કરવા માટે જીરો, લીલુ મરચા, અજમાનો ઉપયોગ કરી શકો છો.

Related Posts