ગુજરાત

નવસારી નજીકના નેશનલ હાઈવે પર થયેલા અકસ્માતમાં માર્યા ગયેલાઓ તરફ સંવેદના વ્યક્ત કરતા મોરારીબાપુ

ગઈકાલે વહેલી સવારે નવસારીના નેશનલ હાઈવે પર એક અત્યંત કરુણ અને દુઃખદ અકસ્માત થયો હતો. અમદાવાદ થી વલસાડ તરફ જઈ રહેલા શ્રદ્ધાળુઓ ની કારનો એક બસ સાથે અકસ્માત થતાં એ ઘટનામાં નવ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. નવસારી નજીકના નેશનલ હાઇવે નંબર 48 પર પરથાના ખાતે આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમને સંવેદના સ્વરૂપે લાઠીની રામકથા ની વ્યાસપીઠ તરફથી પ્રત્યેક મૃતકના પરિજનોને રૂપિયા 11000 -11000ની સંવેદના સહાયતા પ્રેશિત કરેલ છે.  મરણોત્તર સહાયની કુલ રકમ 99 હજાર રૂપિયા થાય છે.

આ અકસ્માતમાં જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યા છે તેમનાં નિર્વાણ માટે પૂજ્ય બાપુએ શ્રી હનુમાનજી ના ચરણોમાં પ્રાર્થના કરી છે. તેમના પરિજનો તરફ વ્યક્ત કરી છે. એ ઉપરાંત આ ઘટનામાં જે લોકો ઘાયલ થયા છે તેઓ ઝડપથી સ્વસ્થતા પ્રાપ્ત કરે તેવી પણ પ્રાર્થના પૂજ્ય બાપુએ કરી છે.

Related Posts