તળાજા તાલુકાના નવા સાંગાણા ગામે આવેલ પ્રસિદ્ધ જાળનાથ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર સાથે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજ તા.31 ને શુક્રવારથી પ્રારંભ થશે. અહીંના શ્રી 1008 મહામંડલેશ્વર પૂ. રમજુબાપુનું પ્રેરણાથી જાળનાથ મહાદેવ મંદિર સાથે દિશાના દેવોની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 31 થી તા2/6 રવિવાર સુધી યોજાશે. આ ત્રિ દિવસીય અવસરે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે પૂજ્ય સંતો નું સાનિધ્ય રહેશે. દરરોજ બપોરના 12 કલાકે મહાપ્રસાદ-ભોજન નું આયોજન પણ રાખેલું છે. ઉપરાંત તા.31 ને શુક્રવારના રાત્રે 9 કલાકે શ્રી પાગલબાપા સુંદરકાંડ મંડળ, તળાજા દ્વારા સુંદરકાંડના સંગીતમય પાઠ યોજાશે. આ ત્રીદિવસીય મંગળ અવસરે દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા, યજ્ઞદર્શનનો લાભ તેમજ સંતોના દર્શનનો લાભ લેવા નવા સાંગાણા ગામ વતી આમંત્રણ આપવામાં આવ્યું છે.
નવા સાંગાણા ના જાળનાથ મહાદેવના નૂતન શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ ત્રિદિવસીય ધર્મ મહોત્સવનું ગામજનો દ્વારા ભાવભેર આયોજન

Recent Comments