અમરેલી

નાગરિકોએ ઈ.વી.એમ. નિદર્શન નિહાળ્યુ, ચૂંટણી પ્રક્રિયા, મતદાન વિષયક માર્ગદર્શન પ્રાપ્ત કર્યુ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં અલગ અલગ ગામે ઇવીએમ તથા વીવીપેટ નિદર્શન અને મતદાર જાગૃત્તિ અર્થે રથ પરિભ્રમણ કરી રહ્યા છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હીરાણા મુકામે ઈ.વી.એમ. નિદર્શન રથ પહોંચ્યો હતો. સૌ નાગરિકોએ ઈ.વી.એમ. નિદર્શન નિહાળ્યુ હતુચૂંટણી પ્રક્રિયામતદાન વિષયક માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતુ. આ ઉપરાંત ચૂંટણી ફરજ પરના કર્મયોગીઓ દ્વારા આ રથ દ્વારા ગ્રામજનોને  ઈ.વી.એમ. વિશેની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યા હતા અને મતદાન માટેની પ્રક્રિયા અંગે જાગૃત્તિ પ્રસરાવવામાં આવી હતી. ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્વીપ એક્ટિવિટીના માધ્યમથી લોકોને ચૂંટણી પ્રક્રિયા અને મતદાન વિષયક માહિતી અને માર્ગદર્શન આપવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 

Related Posts