ભાવનગર

નાગરિકો હવે દિવસે અને રાત્રે પણ તિરંગો ફરકાવી શકશે

ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ’હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ માટે વેબસાઇટઃ www.harghartiranga.com નું નિર્માણ કરવામાં આવ્યું છે.

નાગરિકો તિરંગા સાથેની પોતાની સેલ્ફી સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટઃwww.harghartiranga.com પર અપલોડ કરી શકશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર #harghartiranga નો ઉપયોગ કરવાં માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.ભારતનો રાષ્ટ્રધ્વજ સમગ્ર ભારત અને ભારતીયો માટે ગૌરવની બાબત છે. ભારતીય રાષ્ર્વધ્વજનો ઉપયોગ/ પ્રદર્શન તેમજ રાષ્ટ્રધ્વજને ફરકાવવું એ રાષ્રીબાય સન્માન અપમાન નિવારણ કાયદો-૧૯૭૧ અને ભારતીય ધ્વજ દંડસંહિતા-૨૦૦૨ દ્વારા નિયમન થાય છે. જેની માહિતી ગૃહ વિભાગની વેબસાઇટઃ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.

સક્ષમ સત્તાધિકારીની મંજૂરીથી ભારતીય ધ્વજસંહિતાસંહિતા, ૨૦૦૨ ના ભાગ-૨ ના ફકરાં ૨.૨ ના કલમ-૧૧ માં સુધારો કરવામાં આવ્યો છે.જે મુજબ ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત (ફરકાવી) શકાશે અથવા જાહેર સભ્ય/ વ્યક્તિના ઘર પર પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે તેમજ દિવસ તેમજ રાત દરમિયાન પણ ફરકાવી શકાશે તેમ સેક્શન અધિકારીશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સેક્શન અધિકારીશ્રીના તા. ૦૨-૦૮-૨૦૨૨ ના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts