ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષે તા. ૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ’હર ઘર તિરંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આ માટે વેબસાઇટઃ www.harghartiranga.com નું નિર્માણ કરવામાં આવ્યું છે.
નાગરિકો તિરંગા સાથેની પોતાની સેલ્ફી સંસ્કૃતિ મંત્રાલયની વેબસાઇટઃwww.harghartiranga.com પર અપલોડ કરી શકશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર #harghartiranga નો ઉપયોગ કરવાં માટે કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા અપીલ કરવામાં આવી છે.ભારતનો રાષ્ટ્રધ્વજ સમગ્ર ભારત અને ભારતીયો માટે ગૌરવની બાબત છે. ભારતીય રાષ્ર્વધ્વજનો ઉપયોગ/ પ્રદર્શન તેમજ રાષ્ટ્રધ્વજને ફરકાવવું એ રાષ્રીબાય સન્માન અપમાન નિવારણ કાયદો-૧૯૭૧ અને ભારતીય ધ્વજ દંડસંહિતા-૨૦૦૨ દ્વારા નિયમન થાય છે. જેની માહિતી ગૃહ વિભાગની વેબસાઇટઃ www.mha.gov.in પર ઉપલબ્ધ છે.
સક્ષમ સત્તાધિકારીની મંજૂરીથી ભારતીય ધ્વજસંહિતાસંહિતા, ૨૦૦૨ ના ભાગ-૨ ના ફકરાં ૨.૨ ના કલમ-૧૧ માં સુધારો કરવામાં આવ્યો છે.જે મુજબ ધ્વજ ખુલ્લામાં પ્રદર્શિત (ફરકાવી) શકાશે અથવા જાહેર સભ્ય/ વ્યક્તિના ઘર પર પ્રદર્શિત કરી (ફરકાવી) શકાશે તેમજ દિવસ તેમજ રાત દરમિયાન પણ ફરકાવી શકાશે તેમ સેક્શન અધિકારીશ્રી, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સેક્શન અધિકારીશ્રીના તા. ૦૨-૦૮-૨૦૨૨ ના પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments