અમરેલી

નાના માચીયાળાના ભીમનાથ મંદિરે ઘ્‍વજાઆરોહણ, મહાઆરતી કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનાં હસ્‍તે દિવ્‍યકાશી ભવ્‍યકાશી કાર્યક્રમ અંતર્ગત અમરેલી તાલુકા ભાજપ અને તાલુકા પંચાયત દ્વારા નાના માચિયાળા ગામે ભીમનાથ મહાદવે મંદિરે ધજાઆરોહણ, મહાઆરતી અને લાઈવ કાર્યક્રમ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યો. આ કાર્યક્રમ દરમ્‍યાન સી.ડી.એસ. બિપીન રાવતને શ્રઘ્‍ધાજંલિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્‍યો. આ કાર્યક્રમ દરમિયાન સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી, જિલ્‍લા ભા.જ.પ.પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, જિલ્‍લા ભાજપ મહામંત્રી રાજુભાઈ વેકરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્‍યામભાઈ ત્રાપસીયા, તાલુકા ભાજપ મહામંત્રી કાળુભાઈ વાળા, તાલુકા પંચાયત પ્રતિનિધી દિલીપભાઈ સાવલીયા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન નિકુલભાઈ માંડણકા, જિલ્‍લા પંચાયત ન્‍યાય સમિતિનાં ચેરમેન મુકેશભાઈ બગડા,મહામંત્રી અ.જા. સંદિપભાઈ સોલંકી, તાલુકા પંચાયત સદસ્‍ય પ્રવિણભાઈ ચાવડા, લાલાવદર સરપંચ ચેતન ધાનાણી અને આજુબાજુ ગામનાં આગેવાનો, તાલુકા પંચાયત સામાજિક ન્‍યાય સમિતિનાં પ્રતિનિધ અશોકભાઈ માધડ હાજર હતા.

Related Posts