ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત ૭૮ માં સ્વાતંત્ર પર્વ પ્રસંગે નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં ભડભીડ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ. તા.૧૬ ઓગસ્ટ યોજાયેલ શિબિરમાં ૧૯૭ ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ પ્રસંગે શિશુવિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ૭૫ બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામા આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહારની આરોગ્ય ટિમનાં ડૉ. અરવિંદભાઈ ત્રિવેદી ડૉ.અભિલાષા બહેન સોનપાલ , ડૉ. નમ્રતા બહેન ઢાપા, શ્રી અંકિતાબહેન ભટ્ટ શ્રી રેખાબહેન ભટ્ટ , કમલેશભાઈ વેગડ ગૌતમભાઈ ડાભી તથા નિરમા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના જયભાઈ દવે તથા ગામનાં સરપંચ શ્રી જડીબહેન તથા આચાર્ય દિનેશભાઈ ની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ..આ કાર્યક્રમનું સંકલન શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિ ના સંચાલક રાજુભાઈ મકવાણાએ કર્યું હતું..
નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં ભડભીડ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજાય

Recent Comments