સોશિયલ મીડિયા પર નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ (દ્ગઈઈ્ ઁય્) ૨૦૨૨ પરીક્ષાને લઈને એક નોટિસ વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરીક્ષા ૬ થી ૮ અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી છે. આ પત્ર પર ડાયરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસ, ભારત સરકાર લખેલ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૨ ની પરીક્ષાની તારીખ દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૧ કાઉન્સેલિંગ સાથેના સંઘર્ષને કારણે દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૨ મુલતવી રાખવા માટે ડૉક્ટરો તરફથી મળેલી વિનંતીઓને કારણે મોકૂફ રાખવામાં આવી છે. એક નકલી પત્રમાં દાવો કરવામાં આવ્યો હતો કે ૨૧/૦૫/૨૦૨૨ ના રોજ નિર્ધારિત દ્ગઈઈ્-ઁય્ પરીક્ષા ૬-૮ અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે જે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં છે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ હેલ્થ સર્વિસ દ્વારા આવો કોઈ પત્ર જારી કરવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે તાજેતરમાં જ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૨ ના વિદ્યાર્થીઓ દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૨ પરીક્ષા અને દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૧ કાઉન્સેલિંગ વચ્ચેના અપૂરતા સમય તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમણે દ્ગઈઈ્ ઁય્ ૨૦૨૨ ની પરીક્ષામાં બેસવા માટે લગભગ ૫,૦૦૦ ઇન્ટર્ન ડોકટરોની અયોગ્યતાના મુદ્દા વિશે પણ વાત કરી. વાસ્તવમાં, આ એવા ડોકટરો છે જેમણે કોરોના સંકટ દરમિયાન ફરજ બજાવી હતી.
નીટ પીજી ૨૦૨૨ની પરીક્ષા મુલતવી થયાના ખોટા સમાચાર વાયરલ થયા

Recent Comments