ગુજરાત

નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત

નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો

નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો છે. જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી હતો. જતીન શાહની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હોવાનો આરોપ હતો. અંબાજી પ્રસાદ મામલે જતીન શાહની પોલીસે ધરપકડ કરી હતી. આપઘાત કરવા પાછળનું કારણ જાણી શકાયું નથી. વેપાર ધંધાને કારણે આપઘાત કર્યો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં જ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આપઘાતને લઈ નારોલ પોલીસે તપાસ શરૂ કરી છે.

Related Posts