ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ,અમરેલી ડિવિઝન દ્વારા પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંગેના એક સેમીનારનું કાણકિયા કોલેજ – સાવરકુંડલા ખાતે આયોજન કરવામાં આવેલ.
કોલેજના પ્રિન્સીપાલ ડો.એસ.સી.રવિયા એ ભારતમાં રેલ્વે ડિપાર્ટમેન્ટ અને પોસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે કાર્યરત છે? અને સામાન્ય નાગરિકો માટે તેમની કેટલી મહત્વની ભૂમિકા છે? તે અંગે પ્રાસ્તાવિક વાત કરેલ.
ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અમરેલી ડિવિઝનના ડેવલપમેન્ટ ઓફિસર વાય.યુ. ઝાંખરા એે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ શું છે?તેનું શું મહત્વ છે? કઈ રીતે આ ઇન્સ્યોરન્સ ની સુવિધા મેળવી શકાય? તેના કયા લાભ છે ? ભવિષ્યની સલામતી માટે ઇન્સ્યોરન્સ કઈ રીતે ઉપયોગી છે? પોસ્ટ ડિપાર્ટમેન્ટ આ માટે કઈ રીતે કાર્યરત છે? જેવા ઇન્સ્યોરન્સ ને લગતા મહત્વના મુદ્દાઓની રસપ્રદ રજૂઆત કરી વિદ્યાર્થીઓને માહિતગાર કરેલ.
કાર્યક્રમના અંતે પ્રો.પાર્થભાઈ ગેડિયા એ ભવિષ્યના એક જાગૃત વ્યક્તિ તરીકે ઇન્સ્યોરન્સ ની આ માહિતી વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી બની શકે તે માટે કેટલાક સૂચન કરેલ તેમજ આ તકે આ અમૂલ્ય સેમીનાર માટે વાય.યુ. ઝાંખરા નો આભાર વ્યક્ત કરેલ.
Recent Comments