વીજપડી થી અમરેલી નેશનલ હાઈવે ગણતા અધિકારીઓ જવાબ આપશે કે કેમ અવારનવાર રજૂઆત કરવા છતાં આ રસ્તાની સ્થિતિમાં કોઈ ગુણાત્મક પરિવર્તન નથી આવતું? જાણે કે તંત્રના કાને આ વાત સંભળાતી હશે કે કેમ? એ યક્ષપ્રશ્ન હવે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. આ તસ્વીર વીજપડી થી અડધો કિલોમીટર થી શરૂ થતા નેશનલ હાઈવેની છે. અહીંથી મસ્ત મોટા ખાડાઓ અમરેલી સુધી જોવા મળેલ છે.. માતેલા સાંઢની માફક કન્ટેનરો આ રસ્તા પર દોડતાં જોવા મળે છે..
જો કે નેશનલ હાઈવેની કેટેગરીમાં આ રોડ હોય એટલે પૂરપાટ ઝડપે દોડતાં વાહનો હોય એ પણ સ્વાભાવિક છે. પરંતુ નાના વાહનોવાળાનો શું દોષ? કારણ કે નાના વાહનો માટે તો આવા ખાડા યમદૂત સમાન જ ગણાય. એમાં પણ ખાસ કરીને દ્વિચક્રી વાહનોએ તો આ રસ્તા પર ચાલવું એટલે ખરેખર પરસેવો પડી જાય એવી બાબત ગણાય. આ હાઈવેના તમામ ખાડા રીસર્રેસિંગ કરીને આ હાઈવે સીધો સપાટ ક્યારે થશે? એવો વેધક સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.એમ અનિરૂધ્ધ ત્રિવેદીની એક અખબારી યાદીમાં જણાવાયું હતું
Recent Comments