ઉત્તરાખંડના નૈનીતાલમાં રવિવારે એક મોટો અકસ્માત થયો હતો. મુસાફરોથી ભરેલી બસ ખીણમાં પડી હતી. આ અકસ્માત નૈનીતાલના કાલાધુંગી રોડ પર નલ્ની પાસે થયો હતો. બસમાં ૩૨ લોકો સવાર હતા. જે હિસારથી નૈનીતાલ ફરવા આવ્યા હતા. બસ ખીણમાં પડતાની સાથે જ ઘટનાસ્થળે એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બસ કયા કારણોસર ખીણમાં પડી? એ હજુ સુધી જાણી શકાયું નથી. હોસ્પિટલમાં દાખલ ઘણા ઘાયલ મુસાફરોની હાલત નાજુક છે.. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બસ ખીણમાં પડી જવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
ઘાયલોને યોગ્ય સારવાર આપવા સૂચના આપવામાં આવી છે. તેમણે ઘાયલ મુસાફરોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. બીજી તરફ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લામાં રવિવારે એક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. પિથૌરાગઢમાં ધારચુલા-ગુંજી રોડ પર બોલેરો પર પહાડનો પથ્થર પડવાની ઘટના સામે આવે છે. આ અકસ્માતમાં ડ્રાઈવર સહિત ૯ લોકોના મોત થયાની આશંકા છે. દુર્ઘટનાની માહિતી મળતા જ જીજીમ્, આર્મી અને જીડ્ઢઇહ્લની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઝ્રસ્ પુષ્કર સિંહ ધામીએ પણ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.
Recent Comments