અમરેલી

પરવાનગી સિવાય ફ્લાઇટ હેલિકોપ્ટર ડ્રોનના ઉતરાણ અને ઉડ્ડયન પર પ્રતિબંધ

આગામી તા.૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ સોમવારના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા અને અને લાઠી ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહેશે.વડાપ્રધાનશ્રીની સુરક્ષાને ધ્યાને લેતા અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિત-૨૦૨૩ની કલમ-૧૬૩ અંતર્ગત જાહેરનામુપ્રસિદ્ધ કર્યુ છે. તા.૨૮ ઓક્ટોટબર, ૨૦૨૪ સોમવારના રોજ દુધાળા હેલિપેડ, લાઠી શહેર ખાતેના સભા સ્થળ તથા વડાપ્રધાનશ્રી જે માર્ગે પસાર થવાના છે તે વિસ્તારોના નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

આ વિસ્તારોમાં જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની પરવાનગી સિવાય તમામ ફ્લાઈટ, હેલિકોપ્ટર, ડ્રોન કે અન્ય તમામ પ્રકારના ઉતરાણ કે ઉડ્ડયન કરવા પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધ લાઠી તાલુકાના દુધાળા ખાતે હેતની હવેલી ખાતેના હેલિપેડ તથા હેતની હવેલી ખાતેનાં કાર્યક્રમની આસપાસના ત્રણ કિ.મી.ત્રિજ્યા વિસ્તાર, લાઠી ખાતે જાહેર સભા સ્થળ તથા તેની આસપાસના ત્રણ કિ.મી. ત્રિજ્યા વિસ્તાર અને વડાપ્રધાનશ્રી જે રુટ પરથી પસાર થાય તે રુટ પરના ત્રણ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં લાગુ પડશે.

આ હુકમ વડાપ્રધાનશ્રીના ચોપર-હેલિકોપ્ટર તથા કાર્યક્રમ અન્વયે પધારનાર અતિથી વિશે તથા મહાનુભાવો તેમજ તેમના ખાસ ફરજ પરનાં સંબંધિત અધિકારીશ્રી દ્વારા ઉપયોગમાં લેવાનાર હેલિકોપ્ટર-ચોપર તથા ડ્રોનને લાગુ પડશે નહીં.આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહી થશે તથા સજાપાત્ર થશે.  જાહેરનામુ તા. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૪ સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકથી સાંજે ૦૭.૦૦ કાલક સુધી અમલી રહેશે.

Related Posts