સાવરકુંડલા સમસ્ત બ્રહ્મસમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ સરસ્વતી સન્માન કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ પૂર્ણ માહોલમાં ઉજવવામાં આવ્યો. આ સરસ્વતી સન્માન કાર્યક્રમમાં મા ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત બ્રહ્મસમાજ ભૂદેવ ભાઈઓ-બહેનો તેમજ વિદ્યાર્થી ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાલમંદિર, ધોરણ ૧ થી ૧૨ તેમજ ઉચ્ચ અભ્યાસની ડીગ્રી મેળવેલ તમામ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનિત કરવામાં આવ્યા. તેજસ્વી વિદ્યાર્થીઓને પરશુરામ સેના દ્વારા મોમેન્ટો પ્રમાણપત્ર તેમજ અન્ય ગિફ્ટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ના મુખ્ય અધ્યક્ષ સ્થાને જાણિત શિક્ષણવિદ્ ગુજુદાદા ભરાડ તેમજ સાવરકુંડલા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ ત્રિવેદી અને ગુજરાત ખાદી ના મંત્રી પરાગભાઇ ત્રિવેદી તેમજ બ્રહ્મ સમાજના હોદ્દેદારો અને દાતાઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પરશુરામ સેના પ્રમુખ અમિત પંડ્યા તથા પરશુરામ સેના ની તમામ ટીમ દ્વારા સારી એવી જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
પરશુરામ સેના – સાવરકુંડલા દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો…….

Recent Comments