અમરેલી

પર્યાવરણ અને વૃક્ષો પ્રત્યે અનોખી સહાનુભૂતિ.

સાવરકુંડલામાં ગરીબ પરિવાર ના વ્યક્તિએ એક એક રૂપિયો ભેગા કરીને વૃક્ષો વાવ્યા.સાવરકુંડલાના જનકભાઈ જોશીએ મર્યાદિત સંસાધનોથી ઉભુ કર્યું વૃક્ષોનું સામ્રાજ્ય.સાવરકુંડલા શહેરના ગાંધીચોક વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી મંદિરમાં પૂજારી અને ગરીબ પરિવારના જનકભાઈ જોશી માત્ર 4500 રૂપિયાના પગારમાં પોતાનું ઘર ચલાવેછે છતાં પણ રોજનો એક રૂપિયો તેમણે આખા વર્ષની બચત એટલે કે 350 રૂપિયા એકઠા કરીને તેમાંથી 20 વૃક્ષો ખરીદયા અને એકઠા કરેલ રૂપિયા વૃક્ષો વાવવામાં ખર્ચી દીધા તથા બિન ઉપયોગી કપડા તેમજ કડિયા કામમાં વપરાતા વેસ્ટિજ વાંસ  માંથી પિંજરા બનાવી મળતી ખાલી જગ્યાઓમાં તેમણે આવૃક્ષો વાવીને તેનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું આવનારી પેઢીને ગરમી અને પ્રદૂષણથી બચાવવા માટે તેમણે આ ભગીરથ કાર્ય હાથ ધર્યુંછે જનકભાઈ જોશી દરરોજ સાયકલ લઈને આવૃક્ષોને પાણી પીવડાવેછે તેમનું ધ્યેય છેકે આ નાના છોડો મોટા વૃક્ષો બનીને આપણને ઠંડક આપે તેમની આ સેવા જોઈને દરેક વ્યક્તિએ પ્રેરણા લેવી જોઈએ આજકાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ખૂબજ ગંભીર બની ગઈછે ગરમી, પ્રદૂષણ અને અન્ય પર્યાવરણીય સમસ્યાઓ આપણા જીવનને પ્રભાવિત કરી રહીછે


આપણે બધાજ જનકભાઈ જોશી પાસેથી પ્રેરણા લઈને વધુને વધુ વૃક્ષો વાવી શકીએ છીએ આપણે આપણા ઘરની આસપાસ, સ્કૂલમાં, કોલેજમાં કે પછી કોઈ ખાલી જગ્યામાં વૃક્ષો વાવી શકીએ છીએ તેમજ વૃક્ષોનું ધ્યાન રાખીએ આપણે આપણા બાળકોને પણ વૃક્ષોની મહત્વતા વિશે જણાવવું જોઈએ જ્યાં જગ્યા મળે ત્યાં એક વૃક્ષ વાવે અને તેની સંભાળ લેવી જોઈએ આપણે બધા મળીને આપણું પર્યાવરણ બચાવી શકીએ છીએ તેમ જનકભાઈ જોશી એ જણાવ્યું હતું જનકભાઈ એક સામાન્ય વ્યક્તિછે પરંતુ તેમનું કામ અસામાન્ય છે તેમણે સાબિત કર્યું છે કે નાની શરૂઆતથી મોટું પરિવર્તન લાવી શકાય છે.

Related Posts