ભાવનગર

પવિત્ર શ્રાવણ માસ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા આયોજનો

સમાચાર યાદીપવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનોશ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં સોમવારથી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોજાળિયા શનિવાર તા.૩-૮-૨૦૨૪પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં સોમવારથી યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે.ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓથી ધમધમતા શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં અગાઉના વર્ષોની જેમ આ વર્ષે પવિત્ર શ્રાવણ માસ પ્રસંગે મહારુદ્ર અભિષેક, મહારુદ્ર હોમાત્મક,  ભૈરવ યાગ અને નવચંડી યાગ રાખવામાં આવેલ છે. શ્રી વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં વિશ્વ કલ્યાણ અર્થે દર વર્ષની જેમ જ આયોજન થયેલ છે.શ્રાવણ માસ દરમિયાન અહીંયા વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થશે. યજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમોમાં પીપળા તથા બિલ્લી વૃક્ષ છોડ અર્પણ વિધિ, સત્સંગ અને પ્રસાદ તેમજ મહાનુભાવોનાં સન્માન અભિવાદન માટે આશ્રમ પરિવાર જાળિયાનાં કાર્યકર્તાઓ દ્વારા આયોજન રહેલ છે.

Related Posts