સૌરાષ્ટ - કચ્છ

પાકિસ્તાનમાં કેદ ૫૪૦ માછીમારોને મુક્ત કરાવવા સાંસદ મોકરિયાએ વડાપ્રધાનને પત્ર લખ્યો

દરિયામાં માછીમારી કરતી વખતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ આસપાસથી પાકિસ્તાન મરીન દ્વારા ઝડપાયેલા ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ માછીમારોને છોડવાની વારંવારની રજૂઆતો પાકિસ્તાનની સરકારને કરવામાં આવે છે ત્યારે આજે રાજકોટમાં સાંસદ મોકરિયાએ પાકિસ્તાનની જેલમાં કેદ થયેલા ગુજરાતના માછીમારોને જેલ માંથી મુક્ત કરાવવા અંગે વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. જેમાં મોકરિયાએ માછીમારોનું મુક્તિ માંગ કરતા લખ્યું છે કે,૫૪૦ માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવો,૧૨૦૦ કરોડની કિંમતની બોટો પાકિસ્તાનમાં સળે છે.

આ અંગે વધુમાં સાંસદ મોકરીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી આપણા માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. હવે તેમને મુક્તિ મળવી જાેઈએ. છેલ્લા બે વર્ષમાં ૨૪૮ માછીમારો પકડાયા છે. પાકિસ્તાનીઓ ભારતીય જળ સીમામાંથી માછીમારોનું અપહરણ કરી જાય છે. હાલ ૧૧૫૦ કરતા વધુ બોટ પાકિસ્તાનમાં સળી રહી છે. જેની કિંમત આશરે ૧૨૦૦ કરોડ છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૦ સુધી ગુજરાતના ૩૪૫ માછીમારો પાકિસ્તાની જેલમાં બંધ છે. જેમાંથી છેલ્લા બે વર્ષમાં ૨૪૮ માછીમારો ઝડપાયા છે. વર્ષ ૨૦૧૯ માં ૮૫ અને વર્ષ ૨૦૨૦ માં ૧૬૩ માછીમારો પકડાયા હતા. આમ કુલ ૫૪૦ માછીમારો તેમના પરિવારથી દૂર વગર વાંકે જેલમાં કેદ છે. માટે તેમને ન્યાય મળે એ માટે હું તત્પર છું.

Related Posts