પાકિસ્તાનના મુખ્ય વિરોધ પક્ષોએ મંગળવારે વડા પ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી તેમને પદ પરથી હટાવવાની માગ કરી છે. સાથે જ તેણે સરકારને વધતી જતી મોંઘવારી માટે જવાબદાર ઠેરવી. પીએમએલ-એનના પ્રવક્તા મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના લગભગ ૧૦૦ સાંસદો દ્વારા હસ્તાક્ષર કરાયેલ ઠરાવ નેશનલ એસેમ્બલી સચિવાલયમાં સબમિટ કરવામાં આવ્યો હતો. આ રીતે ફરી એક વાર ઈમરાનની ખુરશી ખતરામાં આવી ગઈ છે.
નિયમો અનુસાર સ્પીકરને સત્ર બોલાવવા માટે સંસદના ઓછામાં ઓછા ૬૮ સભ્યોની સહી જરૂરી છે. ઉપરાંત અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન માટે ત્રણથી સાત દિવસનું સત્ર બોલાવવાની જાેગવાઈ છે. વડા પ્રધાન અને તેમના પ્રધાનમંડળને હટાવવા માટે વિપક્ષને ૩૪૨ સભ્યોના ગૃહમાં ૧૭૨ સભ્યોના સમર્થનની જરૂર છે. તમને જણાવી દઈએ કે,ઈમરાન હાલ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે અને જાે કેટલાક સાથી પક્ષો પક્ષ બદલવાનું નક્કી કરે તો તેમને હાંકી કાઢવામાં આવી શકે છે,સાથે જ તે સંસદીય લોકશાહીમાં અસામાન્ય નથી. વિપક્ષ પહેલાથી જ કહી ચુક્યું છે કે તે ઈમરાનના ગઠબંધનના સભ્યોને પોતાના પક્ષમાં લેવાનો પ્રયાસ કરશે. ઘટનાક્રમ પર ઇમરાને કહ્યું કે, દેશના લોકો તેમની સાથે છે અને તેમને વિશ્વાસ છે કે સરકાર ટકી રહેશે. ઈમરાને વધુમાં કહ્યું કે,’લોકો મારી સાથે ઉભા છે,તે ક્યારેય ચોરોનું સમર્થન નહીં કરે અને લોકો હવે વિપક્ષને સમર્થન નથી આપી રહ્યા,તેથી તેઓ દાવો કરી રહ્યા છે કે એસ્ટાબ્લિશમેન્ટ તેમને સમર્થન આપી રહી છે.’
ઉપરાંત ઈમરાને કહ્યું કે,૨૦૨૮પ.એકંદરે ત્યાં સુધી આ સરકાર વિરુદ્ધ કંઈ થશે નહીં. વિપક્ષને શરમજનક હારનો સામનો કરવો પડશે.સાથે જ ઈમરાને દાવો કર્યો કે, મારા સાંસદોને ૧૮ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે,મેં તેમને પૈસા લઈને ગરીબોમાં વહેંચવા કહ્યું. ઇમરાને તેમને હટાવવાના પ્રયાસો પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પુનરોચ્ચાર કરતા કહ્યું કે જેઓ સ્વતંત્ર વિદેશ નીતિ નથી ઈચ્છતા તેઓ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે તેઓ વિપક્ષના દરેક હુમલાનો સામનો કરવા તૈયાર છે.
Recent Comments