પાકિસ્તાન જેલમાં મોતને ભેટેલા ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના કોટડા ગામના માછીમારનો મૃતદેહ માદરે વતન પહોંચ્યો હતો. વહેલી સવારે કોટડા ગામમાં કાળો કલ્પાંત જાેવા મળ્યો. ૪ વર્ષ પાક જેલમાં બંધ રહ્યા બાદ આખરે માછીમારનો મૃતદેહ જ વતન પરત આવતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.ગીર સોમનાથના કોડીનારના કોટડા ગામના સોમાભાઈ બારીયા નામના માછીમારનું પાકિસ્તાન જેલમા મોત થતા મૃતદેહ આજે માદરે વતન કોટડા લાવવામાં આવ્યો હતો. લગભગ ૨૦ દિવસ પહેલા આ માછીમાર ને બ્રેઇન સ્ટ્રોક આવવાના કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે વહેલી સવારે ફિશરીઝ વિભાગના અધિકારી દ્વારા મૃતદેહ કોટડા ગામે તેમના પરિવાર ને સોંપવામાં આવ્યો છે.સોમાભાઈ આજથી ચાર વર્ષ પહેલા પોરબંદરની પવન સાગર બોટ સાથે ફિશિંગ કરતા હતા, ત્યારે પાક મરીન બોટ સાથે અન્ય ખલાસીઓ પણ ઉઠાવી ગઈ હતી અને થોડા દિવસ પહેલા જે ૧૯૮ ભારતીય માછીમારો છૂટીને વતન આવ્યા તેમાં તેમનું નામ પણ હતું. પરંતુ અચાનક બ્રેઇન સ્ટ્રોક આવતા તેઓને પાક જેલ સત્તાવાળાઓ દ્વારા હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં તેઓનું મૃત્યુ થતા આજે સોમાભાઈનો મૃતદેહ માદરે વતન આવ્યો હતો. મૃતક માછીમાર પરિવાર અને ગામના આગેવાનો એ મૃતદેહ માદરે વતન પહોંચતા સરકારનો આભાર માન્યો.
પાકિસ્તાન જેલમાં મોતને ભેટનાર માછીમારનો મૃતદેહ વતન પહોંચ્યો

Recent Comments