પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફે કર્યો જુઠ્ઠો દાવો, તો IMF એ જાેરદાર બદનામી કરી

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને તેના વડાપ્રધાન શેહબાજ શરીફના કારણે ફરી એકવાર શરમજનક થવું પડ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ)એ રવિવારે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલયના દાવાને ફગાવી દીધો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ૈંસ્હ્લના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ૬ જાન્યુઆરીએ વડાપ્રધાન શેહબાજ શરીફને ફોન કર્યો હતો. ૈંસ્હ્લએ કહ્યું કે પાકિસ્તાન સરકારનો આ દાવો ખોટો છે કારણ કે શેહબાજ શરીફે પોતે આ વાતચીત માટે વિનંતી કરી હતી. આઈએમએફના સ્થાનિક પ્રતિનિધિ એસ્થર પેરેઝે ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘આઈએમએફના વડા અને શેહબાજ શરીફ વચ્ચેની ફોન પર વાતચીત પાકિસ્તાનની બગડતી સ્થિતિ પર જીનીવા ઈન્ટરનેશનલ કોન્ફરન્સ પર ચર્ચા કરવા માટે હતી. આ કોલની વિનંતી ખુદ પાકિસ્તાની વડાપ્રધાને કરી હતી.
અગાઉ ૬ જાન્યુઆરીએ, પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફના કાર્યાલય દ્વારા એક સત્તાવાર હેન્ડઆઉટ જારી કરવામાં આવ્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, “ૈંસ્હ્લ મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ઁસ્ શહેબાઝ શરીફને વાતચીત માટે બોલાવ્યા હતા”. શાહબાઝ શરીફે પોતે પણ હજારા ઈલેક્ટ્રીક સપ્લાય કંપનીના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના ભાષણમાં દાવો કર્યો હતો કે આઈએમએફના એમડી જ્યોર્જીએવાએ તેમનો સંપર્ક કર્યો હતો. નાદારીની આરે ઉભુ પાકિસ્તાન પોતાની રીત બદલવા તૈયાર નથી. તેનો ઘમંડ ચાલુ રહે છે. પાકિસ્તાનની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેની પાસે માત્ર ૪.૫ અબજ ડોલરનો વિદેશી મુદ્રા ભંડાર બચ્યો છે, જે માત્ર ૩ અઠવાડિયાની આયાત માટે પૂરતો છે. તે જ સમયે, પાકિસ્તાનના દેવાની ચુકવણી ઇં ૮.૫ બિલિયન છે. આમાં ેંછઈના ઇં૨ બિલિયનનો સમાવેશ થાય છે, જેના માટે સરકાર ૈંસ્હ્લ પાસેથી રોલઓવર મેળવવાનો પ્રયાસ કરી રહી છે. ૈંસ્હ્લનું એક પ્રતિનિધિમંડળ ૯ જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી જીનીવા ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારને મળશે.
દરમિયાન, પીએમ શહેબાઝ શરીફ અને તેમના કાર્યાલય દ્વારા વાસ્તવિક ખોટી રજૂઆતો પાકિસ્તાન માટે ૈંસ્હ્લને બેલઆઉટ પેકેજ માટે સમજાવવામાં વધુ સમસ્યાઓ ઊભી કરી શકે છે. દરમિયાન, પાકિસ્તાન અને સંયુક્ત રાષ્ટ્ર સોમવારે જિનીવામાં એક મોટી કોન્ફરન્સ યોજી રહ્યા છે, જેનો ઉદ્દેશ્ય વિનાશક પૂર પછી દેશના પુનઃનિર્માણ માટે સમર્થન મેળવવાનો છે. પાકિસ્તાનમાં આવેલા વિનાશક પૂરનું મોટા ભાગનું પાણી હવે ઓછુ થઈ ગયું છે. લાખો ઘરો, હજારો કિલોમીટરના રસ્તાઓ અને રેલ્વે કનેક્ટિવિટીના પુનઃનિર્માણ માટે પૂરથી પ્રભાવિત વિસ્તારો માટે અંદાજિત ઇં૧૬.૩ બિલિયનની જરૂર છે. એક અંદાજ મુજબ પાકિસ્તાનમાં લાખો લોકો ગરીબીમાં જઈ શકે છે.
Recent Comments