ગઈકાલે વડોદરા જિલ્લાના પાદરા નજીક થયેલ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ પાંચ હતભાગી લોકોના પરિજનોને પ્રત્યેકને રૂપિયા 11,000 પ્રમાણે ₹55,000 ની સહાયતા પૂજ્ય મોરારીબાપુ તરફથી અર્પણ કરવામાં આવી છે. વડોદરા સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવા માં આવી રહી છે.
આ ઉપરાંત ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે એક કોલ્ડસ્ટોરેજ માં કોમ્પ્રેસર ફાટતા આઠ લોકોના મૃત્યુ થયા હતા તેમને પણ પૂજ્ય મોરારીબાપુ દ્વારા 11 હજાર રૂપિયા પ્રત્યેક મૃતક પ્રમાણે કુલ રૂપિયા 88,000 ની સહાયતા કરવામાં આવી રહી છે. આમ અકસ્માતની વિવિધ ધટનામા માર્યા ગયેલાઓને એક લાખ તેંતાલીસ હજાર રૂપિયાની સહાયતા રાશિ અર્પણ કરવામાં આવી છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમ મહુવાથી જયદેવભાઈ માંકડની યાદીમાં જણાવાયું છે.
Recent Comments