બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ ખોડલામાં એક ફેકટરીના પ્રાંગણમાં કારની ટક્કરે બે બાળકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે. અહીં મેદાનમાં રમતા બાળકોને કાર ચાલકે કચડ્યા હતા. અકસ્માત સજ્ર્યા બાદ કાર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો.આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણની આ ઘટના છે. પ્રાંગણમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે કાર ચાલકે બંનેને કચડી નાખ્યા હતા જેમાં એક બાળકનું મોત થયું હતું જ્યારે ઘાયલ બાળકનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી કિશોરીને સારવારમાં ખસેડાઇ હતી. આ અકસ્માતમાં ૬ વર્ષીય સુરેશ અને ૬ વર્ષીય ચિરાગનું મોત થયું છે. અકસ્માત સજ્ર્યા બાદ કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. ઘટના બાદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. ઘટનાના સીસી ટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પોલીસે સીસી ટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી હતી.
પાલનપુરના ખોડલામાં ફેકટરીના પ્રાંગણમાં બે ગાડીઓ વચ્ચે અકસ્માતમાં ૨ બાળકોના મોત

Recent Comments