પાલિતાણા તાલુકામાં જીવાપુર, ચોંડા, બહાદુરગઢ, વિઠલવાડી, ભુતડીયા અને મોટી પાણીયારી (વાડી) કેન્દ્રો ખાતે મધ્યાહન ભોજન યોજનાનાં સંચાલકની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઘોરણ-૧૦ પાસ, સામાન્ય ઉમેદવારો માટે વય મર્યાદા લઘુત્તમ ૨૦ વર્ષ અને મહત્તમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ. વિઘવા, ત્યકતા તથા સ્ત્રી ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.
સંચાલકનાં અરજીફોર્મ કચેરી સમય દરમ્યાન (જાહેર રજાનાં દિવસો સિવાય) મામલતદાર કચેરી, પાલિતાણા ખાતેથી મળી શકશે. ઉમેદવારોએ તેમનાં અરજીફોર્મ તા.૦૫/૧૦/૨૦૨૩ સુધીમાં જરૂરી આધારો સાથે મામલતદાર કચેરી, પાલિતાણાને મોકલી આપવાનાં રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં તેમ મામલતદારશ્રી, પાલિતાણાની યાદીમાં જણાવાયું છે.




















Recent Comments