ભાવનગર

પાલીતાણાના રાણપરડા ગામે સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ સહિતની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી

ભાવનગર જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે ત્યારે પાલીતાણાના તાલુકા વિકાસ અધિકારીશ્રી જયરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાણપરડા ગામે તાલુકા પંચાયતના સભ્યશ્રીભરતભાઈ ધામેલિયા, સરપંચશ્રી,તલાટી કમ મંત્રીશ્રી,ગ્રામજનો તેમજ શાળાના બાળકોએ સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ,યોગા શિબિર,એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી સ્વચ્છતા હી સેવા અભિયાનને વધુ વેગવાન બનાવ્યું છે.

Related Posts