ભાવનગર

પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે જમણા અને ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું

        પાલીતાણા શેત્રુંજી ડેમ ખાતે  શેત્રુજી સિંચાઇ યોજના માંથી ખેડૂતોના પિયત માટે 70 ક્યુસેક જમણા અને ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું.

        પાલીતાણા ખાતે આવેલ ભાવનગર જિલ્લાની જીવા દોરી સમાન શેત્રુંજી ડેમમાંથી ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હતું જેમાં  જમણા કાંઠા અને ડાબા કાંઠા કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું હતું 

        આ તકે ધારાસભ્ય શ્રી ભીખાભાઇ બારૈયા તેમજ કાર્યપાલક ઈજનેર શ્રી આશિષ બાલધિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts