રાષ્ટ્રીય

પીએમએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્‌ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે. અહીં પીએમ મોદીએ ૮ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. આ પછી મોદીએ અયોધ્યા સ્ટેશનનું ઉદ્‌ઘાટન કર્યું. ૬ વંદે ભારત અને ૨ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. મોદી એક દલિત ધનીરામ માંઝીના ઘરે પણ પહોંચ્યા.આ પછી પીએમએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્‌ઘાટન કર્યું. આ સિવાય મોદીએ ૧૫ હજાર ૭૦૦ કરોડ રૂપિયાના ૪૬ વિકાસ કાર્યોનું ઉદ્‌ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.વડાપ્રધાને કહ્યું કે આજે અયોધ્યામાં પ્રગતિનો ઉત્સાહ છે, થોડા દિવસો પછી પરંપરાની ઉજવણી થશે.

Related Posts