વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પ્રવાસે છે. અહીં પીએમ મોદીએ ૮ કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી. આ પછી મોદીએ અયોધ્યા સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. ૬ વંદે ભારત અને ૨ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપી. મોદી એક દલિત ધનીરામ માંઝીના ઘરે પણ પહોંચ્યા.આ પછી પીએમએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું. આ સિવાય મોદીએ ૧૫ હજાર ૭૦૦ કરોડ રૂપિયાના ૪૬ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.વડાપ્રધાને કહ્યું કે આજે અયોધ્યામાં પ્રગતિનો ઉત્સાહ છે, થોડા દિવસો પછી પરંપરાની ઉજવણી થશે.
પીએમએ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામનું ઉદ્ઘાટન કર્યું

Recent Comments