રાષ્ટ્રીય

પીએમ જન ધન યોજનાના ૧૦ વર્ષ પૂરાPM Jan Dhan Yojanaના ૫૩ કરોડ ખાતામાં ૨ લાખ કરોડ રૂપિયા થયા જમા

પ્રધાનમંત્રી જન ધન યોજના એટલે કે ઁસ્ત્નડ્ઢરૂ ને આજે દસ વર્ષ પૂર્ણ થયા છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. આ યોજના હેઠળ અત્યાર સુધી કેટલાં ખાતાં ખોલવામાં આવ્યાં છે તેની પણ સોશિયલ મીડિયા પર દેશવાસીઓને જાણકારી આપતા વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા એક દાયકામાં ૫૩ કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં ૨ લાખ, ૩૧ હજાર કરોડ રૂપિયા જમા થયા છે.

વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે – આજે આપણે એક ખાસ પ્રસંગની ઉજવણી કરી રહ્યા છીએ – ઈં૧૦રૂીટ્ઠજિર્ંકત્નટ્ઠહડ્ઢરટ્ઠહ. તમામ લાભાર્થીઓને અભિનંદન અને આ યોજનાને સફળ બનાવવા માટે મહેનત કરનાર તમામને અભિનંદન. તેમણે લખ્યું- જન ધન યોજના નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. તે કરોડો લોકોને, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગને સન્માન આપવા માટે સક્ષમ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના ૨૮ ઓગસ્ટ ૨૦૧૪ના રોજ શરૂ કરી હતી. નાણા મંત્રાલયે માહિતી આપી છે કે, છેલ્લા દસ વર્ષથી આ યોજનામાં જાેડાવા માટે દેશભરમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. તે વિશ્વનો સૌથી મોટો નાણાકીય સમાવેશ કાર્યક્રમ બની ગયો છે. આમાં ૨.૩ કરોડ રૂપિયાની રકમ જમા કરવામાં આવી છે.

આ એક એવું બેંક એકાઉન્ટ છે, જેમાં કોઈ જ પ્રકારના મિનિમમ બેલેન્સની જરૂર નથી. સરકારે કહ્યું છે કે ૫૩ કરોડથી વધુ ખાતામાંથી ૫૫.૬ ટકા ખાતા મહિલાઓના છે. એટલે કે આ એકાઉન્ટમાં જાેડાનારા લોકોની સંખ્યા પુરૂષો કરતાં મહિલાઓની વધુ છે. જ્યારે, શહેરી વિસ્તારોની સરખામણીએ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોના ખાતાધારકોની સંખ્યા વધુ છે. ૫૩ કરોડ લોકોમાંથી લગભગ ૩૫ કરોડ લોકો ગામડાઓ અને નાના શહેરોના છે.

Related Posts