લાઠી પ.ગુ.વિ.કં.લિ. ની પેટા વિભાગીય કચેરી ના પટાંગણ માં તા.૦૬/૦૪/૨૦૨૩ હનુમાન જયંતિ ના પાવન અવસર પર શ્રી હનુમાનજી હવન, મુર્તિ સ્થાપનવિધિ – મંદિર નું દિવ્ય અનાવરણ, મેડીકલ તથા બ્લડ ડોનેશન કેમ્પ તથા બદલી – બઢતી પામેલ કર્મચારીઓ ના વિદાય સમારંભ સહિત ના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા.
જે અંતર્ગત કર્મચારીઓના સ્વભંડોળમાંથી આરસ ખાણના પથ્થરો થી સજજ અલૌકિક અને ઐતિહાસિક હનુમંત મંદિર ની મુર્તિ સ્થાપનવિધિ નિમિતે હનુમાનજી હવન કરવામાં આવેલ. કર્મચારીઓ દ્વારા કચેરી ને શણગારવામાં આવેલ તથા વાજતે—ગાજતે, ઢોલ – નગારા ના તાલે હર્ષોલ્લાસ સાથે શ્રી હનુમાનજી ની મૂર્તિ કચેરી ખાતે લાવવામાં આવી. કચેરી માં મુર્તિ સ્થાપન તથા મંદિર ના દિવ્ય અનાવરણ પ્રસંગે હનુમાનજી ના સ્વાગત માટે મહિલા કર્મચારીઓ દ્વારા તૈયાર કરાયેલ ફુલ ની રંગોળી તથા કલર દ્વારા તૈયાર કરાયેલ હનુમાનજી ની પોસ્ટર રંગોળી એ ભારે આકર્ષણ જમાવ્યુ હતુ. નવનિર્મિત મંદિર ને “ શ્રી વિદ્યુત હનુમાનજી” – એવું સુંદર નામકરણ પણ કરવામાં આવેલ. કર્મચારીઓ દ્વારા સ્વભંડોળ માંથી નિર્માણ પામેલ આ મંદિર ની મુર્તિ સ્થાપનવિધિ સમયે આયોજીત હનુમાનજી હવન પણ પીજીવીસીએલ ના જ અધિકારી શ્રી બી.કે. દવે સા. દ્વારા
સંપુર્ણ કામગીરી શ્રી વી.એમ.ડાભી, શ્રી એસ.એચ.નિમ્બાર્ક તથા શ્રી કે.સી. વ્યાસ તેમજ સાથી કર્મચારીઓ દ્વારા સંભાળવામાં આવેલ હતી.
હનુમાનજી હવન સાથે પીજીવીસીએલ પેટા વિભાગીય કચેરી દ્વારા સર્વ રોગ તથા સ્ત્રી રોગ નિદાન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ. પીજીવીસીએલ – લાઠી સંયોજીત આ મેડીકલ કેમ્પ માં જીવન જયોત ચેરીટેબલ ટ્રસ્ટ – સુરત સંચાલિત સમર્પણ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ અને લાડલી IVF સેન્ટર ના ડોકટર તથા સ્ટાફ ની ટીમ દ્વારા સર્વરોગ તથા સ્ત્રીરોગ નું નિદાન કરવામાં આવેલ. લાઠી તથા લાઠી તાલુકા ના ગામડા ઓ ના કુલ ૧૨૦૦ જેટલા દર્દીઓ એ આ કેમ્પ નો લાભ લઈ આ કેમ્પ ને સફળ બનાવ્યો હતો. આ કેમ્પ માં જરૂરીયાતમંદો ને વિનામુલ્યે દવા તથા ચશ્મા વિતરણ પણ કરવામાં આવેલ.
ક્લેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવેલ હતું. જે કેમ્પ માં પીજીવીસીએલ – લાઠી ના કર્મચારીગણ તથા શાંતાબા મેડીકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ – અમરેલી ના ડોકટર તથા નર્સિંગ સ્ટાફ ના સંયોજન થી ખુબ સુંદર કામગીરી કરવામાં આવેલ હતી. ઉકત બ્લડ ડોનેશન કેમ્પ માં કુલ ૪ર જેટલ પીજીવીસીએલ ના કર્મચારી અધિકારીઓ એ રકતદાન કરી સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરેલ આ સમગ્ર મેડીકલ તથા બ્લડ ડોનેશન કેમ્પ ના નોડલ તરીકે શ્રી કે.બી. દેથલીયા તથા સાથી કર્મચારીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો હતો.
ત્રિવિધ કાર્યક્રમ ના અંતિમ પડાવ માં લાઠી પેટા વિભાગીય કચેરી એ થી બદલી – બઢતી પામેલ કર્મચારીઓનો વિદાયસમારંભ ઘોજાવામાં આવેલ હતો. જેમાં અત્રેની કચેરી એ થી કંપની ચેન્જ થઈ યુજીવીસીએલ કંપની માં હાજર થયેલ યુનિ. ઈજનેર શ્રી એસ.આર.પટેલ સા. તથા અમરેલી વિભાગીય કગેરી—૧ ખાતે બદલી પામેલ શ્રી કે.સી. પટેલ સા. નું વિદાય વિશેષ સન્માન કરવામાં આવેલ.
કાર્યક્રમ સા અધિકારીગણ કર્મચારીગણ ના સહપરિવાર સ્વરૂચિ ભોજન સાથે પુર્ણ થયેલ.
Recent Comments