મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઈવે પર એક રોડ દુર્ઘટનાના સમાચાર આવી રહ્યા છે. એક વૈને ૧૭ મહિલાઓને કચડી નાખી છે, જેમાં ૩ મહિલાના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. વૈન દ્વારા કચડી નાખતા ૧૪ મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે. કહેવાય છે કે, આ તમામ મહિલાઓ પુણે શહેરમાંથી ખાવાનું બનાવીને ખેડ તાલુકાના શિરોલીમાં આવેલ મંગળ પ્રસંગમાં જઈ રહી હતી. આ મહિલાઓ રાતના સમયે હાઈવે પસાર કરી રહી હતી.
આ દુર્ઘટના રાતના લગભગ ૧૧ કલાકે પુણેથી નાસિક જતી લેન પર થયો હતો. રસ્તો પસાર કરતી વખતે એક વાને આ મહિલાઓને ટક્કર મારી હતી. મહિલાઓને કચડ્યા બાદ વાહન ચાલક ડિવાઈડર તોડીને વાન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસ આ મામલે આગળ તપાસ કરી રહી છે. અહીં ઉલ્લેખનિય છે કે, જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસે મહારાષ્ટ્રના પાલઘરમાં એક ભયંકર રોડ દુર્ઘટનામાં ૪ લોકોના મોત થઈ ગયા હતા. આ ભીષણ અકસ્માત પાલઘર જિલ્લાના દહાનૂ એરિયામાં મુંબઈ-અમદાવાદ હાઈવે પર થયો હતો.
Recent Comments