ગઈકાલે પુના ખાતેની સેનીટા ઇઝર ફેક્ટરી માં આગ લાગતાં ૧૮ વ્યક્તિના મૃત્યુ થયાં હતા. આ તમામ હતભાગી લોકોનાં પરિવારજનને શ્રી હનમાનજીની સાંત્વના રૂપે મોરારિબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા ૫ હજાની સહાય મોકલી આપવા જણાવેલ છે. એ જ રીતે દક્ષિણ પશ્ચિમ બંગાળ ના ૩ જીલ્લામાં વિજળી પડવાથી ૨૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એમના પરિવારજનો ને પણ રૂપિયા ૫ હજાર ની તત્કાલ સહાય મોકલી આપવા મોરારિબાપુએ જણાવ્યું છે. આ બંને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિ બાપુએ પ્રાર્થના કરી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને કુલ ૧ લાખ ૯૦ હજારની સહાય મોકલવામા આવી રહી છે જે રકમ પુના અને કોલત્તાના રામકથાના શ્રોતાઓ દ્વારા વિતરિત કરવામાં આવશે, તેમ જયદેવ માંકડ ની યાદીમાં જણાવ્યું છે.Attachments area
પુના ખાતેની આગ દુર્ધટના અને પશ્ચિમ બંગાળના ૩ જીલ્લામાં વિજળી પડતાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય

Recent Comments