ભાવનગર

પુના ખાતેની આગ દુર્ધટના અને પશ્ચિમ બંગાળના ૩ જીલ્લામાં વિજળી પડતાં માર્યા ગયેલા લોકોને મોરારિબાપુ તરફથી તત્કાલ સહાય

ગઈકાલે પુના ખાતેની સેનીટા ઇઝર ફેક્ટરી માં આગ લાગતાં ૧૮ વ્યક્તિના મૃત્યુ થયાં હતા. આ તમામ હતભાગી લોકોનાં પરિવારજનને શ્રી હનમાનજીની સાંત્વના રૂપે મોરારિબાપુએ પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા ૫ હજાની સહાય મોકલી આપવા જણાવેલ છે. એ જ રીતે દક્ષિણ પશ્ચિમ બંગાળ ના ૩ જીલ્લામાં વિજળી પડવાથી ૨૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એમના પરિવારજનો ને પણ રૂપિયા ૫ હજાર ની તત્કાલ સહાય મોકલી આપવા મોરારિબાપુએ જણાવ્યું છે. આ બંને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારિ બાપુએ પ્રાર્થના કરી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને કુલ ૧ લાખ ૯૦ હજારની સહાય મોકલવામા આવી રહી છે જે રકમ પુના અને કોલત્તાના રામકથાના શ્રોતાઓ દ્વારા વિતરિત કરવામાં આવશે, તેમ જયદેવ માંકડ ની યાદીમાં જણાવ્યું છે.Attachments area

Related Posts