બોલિવૂડ

પુષ્પા ફિલ્મની સફળતા બાદ રશ્મિકા મંદાનાએ નવુ ઘર લીધું

અલ્લુ અર્જુન સાથે રશ્મિકા મંદાનાની જાેડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં રશ્મિકા પુષ્પરાજની ‘શ્રીવલ્લી’ બની રહી છે. ફિલ્મનું ગીત ‘શ્રીવલ્લી’ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. તેલુગુ-તમિલ સહિત આ ગીતનું હિન્દી વર્ઝન પણ ચાહકોને પસંદ આવ્યું છે. ગીતનું હિન્દી વર્ઝન જાવેદ અલીએ ગાયું છે. આ ફિલ્મનું રશ્મિકાનું બીજું ગીત ‘સેમ-સેમ’ પણ ખૂબ જ લોકપ્રિય થયું છે. તમિલ-તેલુગુ ઉપરાંત હિન્દી વર્ઝનમાં પણ આ ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. હિન્દીમાં આ ગીતને સુનિધિ ચૌહાણે પોતાનો અવાજ આપ્યો છે.

શ્રીવલ્લીના ચાહકો એટલે કે અલ્લુ અર્જુન સ્ટારર ‘પુષ્પા ધ રાઈઝ’ની રશ્મિકા મંદાનાને આ ફિલ્મમાં જાેઈને ખૂબ જ ખુશ છે. રશ્મિકાની આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આવી સ્થિતિમાં આખી ટીમને તેનો ફાયદો થયો. હવે રશ્મિકા તેની ફિલ્મ સુપરહિટ થયા બાદ તેણે પોતાના માટે નવું ઘર ખરીદ્યું છે. અભિનેત્રી રશ્મિકાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી, જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે હવે ખૂબ જ વ્યસ્ત છે કારણ કે, તે તેના ઘરની વસ્તુઓ પેક કરી રહી છે. આવી સ્થિતિમાં ફેન્સ અનુમાન લગાવવા લાગ્યા છે કે અભિનેત્રી તેના નવા ઘરમાં શિફ્ટ થઈ રહી છે તો શું એ ખરેખર નવું ઘર ખરીદ્યું છે! તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ રશ્મિકાએ મુંબઈમાં એક લક્ઝરી ઘર ખરીદ્યું હતું.

રશ્મિકાએ બોલિવૂડમાં બે ફિલ્મો સાઈન કરી છે સાથે જ સાઉથમાં પણ હિટ રહી છે. રશ્મિકા હવે ‘મિશન મજનૂ’ અને ‘ગુડબાય’માં પણ જાેવા અભિનેત્રીને વારંવાર મુંબઈ આવવું પડ્યું. આ કારણે અભિનેત્રીએ હોટલમાં ન રોકાવાનું નક્કી કર્યું અને પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું. રશ્મિકા મંદાના પણ તે ઘરમાંથી શિફ્ટ થઈ રહી છે, રશ્મિકાએ સોશિયલ મીડિયા પર તેના ચાહકોને તેના ઘરની મુલાકાત લીધી હતી. તેણે પોતાની પોસ્ટમાં કહ્યું હતું કે શિફ્ટ કરવું એટલું સરળ નથી.

Related Posts