અમરેલી

પૂ. વિજયબાપુએ જન્મદિવસ નિમિત્તે માનવમંદિરને સસ્નેહ મદદ કરી

સંતે કરી સંતને મદદ. આજ તો સંતની સાચી ઓળખાણ છે. આમ તો સત્તાધારના મહંત પૂ. વિજયબાપુ અવારનવાર સાવરકુંડલા માનવમંદિરને મદદ કરતાં જોવા મળે છે. પૂ. વિજયબાપુએ જન્મદિવસ નિમિત્તે માનવમંદિરને સસ્નેહ મદદ કરી.. સંત પરમ હિતકારી જગતમાં. સતાધાર મહંત પૂજ્ય વિજયબાપુએ પોતાના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે રૂપિયા ૫૧ હજાર રોકડા અને કરિયાણું મોકલી ઉજવ્યો હતો. વિજયબાપુ સાવરકુંડલા માનવ મંદિરે અવારનવાર યોગદાન આપી રહ્યા છે અને મનોરોગી બહેનોની સેવામાં મદદરૂપ થઈ રહ્યા છે જેનો ભક્તિરામ બાપુએ સાભાર સ્વીકાર કરી રાજીપો વ્યક્ત કર્યો હતો.

Related Posts