દરેક લોકોના ઘરમાં ધાણા અને જીરું સરળતાથી મળી રહેતુ હોય છે. ગરમીમાં આ બે મસાલા દરેક લોકો માટે ખૂબ જ ઉપયોગી છે. આમ, આપણાં ગુજરાતમાં મોટાભાગના ઘરોમાં જીરું અને ધાણાને મિક્સ કરીને ધાણાજીરું બનાવવામાં આવતુ હોય છે. તો તમને જણાવી દઇએ કે જો તમે ગરમીમાં આ રીતે ધાણાજીરુંનું પાણી પીવો છો તો અનેક સમસ્યાઓમાંથી રાહત મળે છે. તો જાણો આ પાણી કેવી રીતે બનાવશો.
આ રીતે ઘરે બનાવો ધાણાજીરુંનું પાણી
ધાણાજીરુંનું પાણી બનાવવા માટે સૌ પ્રથમ એક તપેલી લો અને એમાં પાણી ઉમેરો. ત્યારબાદ આ પાણીમાં બે ચમચી ધાણા અને બે ચમચી જીરું પાઉડર નાંખો. હવે આ પાણીને બરાબર ઉકાળો અને અડધુ થવા દો. હવે આ પાણીને માટલીમાં ભરીને મુકી દો. તો તૈયાર છે ધાણાજીરાંનું પાણી. હવે આ પાણી તમારે તમને સમય મળે ત્યારે પીવાનું છે. જો તમે આ પાણી સતત ગરમીમાં પીતા રહેશો તો તમને અનેક સમસ્યાઓમાંથી આરામ મળે છે. આ સાથે જ તમને લૂ અને ડિહાઇડ્રેશન જેવી કોઇ સમસ્યા પણ થશે નહિં. ગરમીમાં આ એક અક્સીર ઉપાય છે જે તમારા બોડી માટે એકદમ પરફેક્ટ છે.
જો તમે આ પાણી ગરમીમાં રેગ્યુલર પીવો છો તો તમારી પાચન સંબંધિત તકલીફોમાં ઘટાડો થાય છે અને તમારું પેટ પણ સાફ થાય છે. પેટ સાફ થવાને કારણે તમને કબજીયાત જેવી તકલીફ થતી નથી. ધાણાજીરુંનું આ પાણી તમે રોજ સવારમાં ખાલી પેટે પીવો છો તો તમારું વજન પણ સડસડાટ ઉતરવા લાગે છે. જો તમને ખોરાકના પાચન સંબંધિત કોઇ તકલીફ હોય તો તમે પણ રોજ સવારે આ પાણી પીવાનું શરૂ કરી દો. આ પાણી પીવાથી તમારી સ્કિન પણ ગ્લો કરે છે.
Recent Comments