રાષ્ટ્રીય

પોરબંદરનાં મધદરિયે બિમાર થયેલા માછીમારની મદદે પહોંચ્યું કોસ્ટગાર્ડ

પોરબંદરનાં દરિયામાં માછીમારી કરી રહેલી એક બોટનાં ખલાસીની તબીયત લથડી હતી. આ અંગેની જાણ કોસ્ટગાર્ડને કરતાં તેની મદદે પહોંચ્યું અને બિમાર ખલાસીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરનાં દરિયામાં માછીમારી કરી રહેલી દિક્ષા નામની બોટના ખલાસીની ગઇકાલે  રાત્રિનાં એકાએક તબીયત લથડી હતી. આથી બોટનાં ટંડેલે વાયરલેસ ઉપર કોસ્ટગાર્ડની મદદ માંગી હતી. જેને પગલે કોસ્ટગાર્ડની ચાર્લી ઇન્ટરસેપ્ટર બોટ મદદે પહોંચી હતી. બોટમાંથી ખલાસીનું રેસ્કયું કરી શીપમાં લાવી અને તેમને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ આ ખલાસીને પોરબંદર જેટી ખાતે લાવી અને એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કોસ્ટગાર્ડ મદદે પહોંચતા આ ખલાસીનો જીવ બચાવવામાં સફળતા મળી હતી

Related Posts